ગાંધીનગર: રાજ્યમાં ફરીથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ગઈકાલ કરતા આજે કોરોનાના નવા કોરોના કેસ ઓછા નોંધાયા છે. આજે કોરોનાના નવા 11 કેસ નોંધાયા છે, તો બીજી તરફ 11 દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,13,183 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં કુલ 88,648 રસીના ડોઝ આજના દિવસમાં આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 98 એક્ટિવ કેસ છે. જે પૈકી એક પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તો બીજી તરફ અત્યાર સુધીમાં 1213184 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. તો બીજી તરફ 10943 નાગરિકોનાં મોત થઇ ચુક્યા છે. આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત થયું નથી. નવા કુલ 11 કેસ નોંધાયા છે જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશનમાં 3, વડોદરા 2, બનાસકાંઠામાં 1, ગાંધીનગર 1 એમ કુલ મળીને 11 કેસ નોંધાયા છે.


મિશન 2022 માટે પ્રિયંકા ગાંધી આવી શકે છે ગુજરાત, ચાર ઝોનમાં અલગ અલગ સંમેલનો યોજવાનું કોંગ્રેસનું મેગા આયોજન


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના નાગરિકોમાં 1033 ને પ્રથમ અને 13751 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 293 અને 2760 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 11061 નાગરિકોને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. 12-14 વર્ષના નાગરિકો પૈકી 10167 ને રસીનો પ્રથમ જ્યારે 49583 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે ગુજરાતમાં આજના દિવસમાં કુલ 88,648 ડોઝ અને અત્યાર સુધીમાં કુલ 10,71,09,456 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube