અમદાવાદઃ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થયું છે. ભાવિક સ્કૂલની નજીક ઠાકોર સમાજ અને હિન્દી ભાષી સમાજ વચ્ચે ઠાકોર સમાજની યુવતી પર બળાત્કારના મામલે તીવ્ર ઘર્ષણ સર્જાયું છે. ઠાકોર સમાજના યુવાનો ખુલ્લી તલવારો સાથે ચાંદલોડિયા શાક માર્કેટ પહોંચ્યા હતા. જ્યાં તેમણે આંતક મચાવી લારીઓની તોડફોડ કરી હતી. આ સાથે ઠાકોરોનું અમુક ટોળું પરપ્રાંતિયોના ઘરમાં ઘુસી તલવારથી હુમલો કર્યો છે. ઠાકોરોએ રોડ પરની લાઈટો બંધ કરાવી ખુલ્લે આમ આતંક મચાવ્યો હતો.