દાહોદ: દાહોદ ઇન્દોર હાઇવે પર ઉજ્જૈન મહાકાલ મંદિરના દર્શન કરી પાછા ફરતા બે યુવકોના કારને પંચર કરી લૂટ ચલાવામાં આવી છે. મહત્વનું છે, કે દાહોદ ઇન્દોર હાઇવે પર અનેકવાર આવી રીતે લૂંટના બનાવો સામે આવ્યા છે. ત્યારે આવીજ એક ઘટના શનિવારે રાત્રી દરમિયાન જોવા મળી હતી. બન્ને યુવકોની કારને પંચર કરીને લૂંટ ચલાવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે. તેમની પાસે રહેલા 42 હજાર રૂપિયાની સાથે સહિત લેપટોપ સહિત એક લાખના મુદ્દામાલની લૂંટ કરી લૂંટરુઓ ફરાર થઇ ગયા હતા. આ અંગે બંન્ને યુવકો દ્વારા કતવારા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવામાં આવી હતી. જે અંગે પોલીસે લૂંટારુઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.