Vadodara Boat Tragedy : વડોદરા બોટકાંડ માટે એક નહિ, અનેક લોકો જવાબદાર છે. પરંતુ સૌથી પહેલુ વડોદરાનુ તંત્ર જવાબદાર છે. જેઓએ જોયા જાણ્યા વગર લેકઝોનનો કોન્ટ્રાક્ટ સોંપ્યો અને આગળ તેમાં કેવા તિકડમ ચાલે છે તેની પણ તપાસ ન કરી. વગર અનુભવની કંપનીને હરણી લેક ઝોન VMCએ 30 વર્ષ માટે સોંપ્યું. વડોદરા કોર્પોરેશને સૂકો નાસ્તો વેચનાર કોન્ટ્રાક્ટરને હરણી લેક ઝોનનો પ્રોજેક્ટ સોંપ્યો હતો. ઈજારદાર મેસર્સ કોટિયા પ્રોજેક્ટના ઈજારદાર કોન્ટ્રાક્ટ પહેલાં સૂકો નાસ્તો બનાવી વેચતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડિસ્ક્વોલિફાયને બે મહિનામાં ક્વોલિફાઈ કરી પ્રોજક્ટ પધારાવાયો
લેકઝોનનો કોન્ટ્રાક્ટ લેવા માટે કોટિયાએ અનેક ધમપછાડા કર્યાં. ઈજારદાર કોટિયા પ્રોજેક્ટ એક વખત ડિસકવોલીફાય થયો, બાદમાં બે મહિનામાં જ કોર્પોરેશને ક્વોલિફાય કરી દીધો. ઈજારદારે ફર્મનું નવું રજીસ્ટ્રેશન કર્યું, ટર્ન ઓવર નથી, IT રીટર્ન પણ નથી, આ પ્રકારની કામગીરીનો કોઇ અનુભવ નહીં હોવાથી કોર્પોરેશને ઈજારદાર કોટિયા પ્રોજેક્ટને ડિસકવોલીફાય કર્યો હતો. પરંતું બાદમાં અધિકારી અને શાસકો સાથે ગોઠવણ થતાં બે મહિનામાં જ ક્વોલિફાય કરી કોન્ટ્રાક્ટ પધરાવી દીધો હતો. બે મહિનામાં જ કોટિયા પ્રોજેક્ટ પાસે ટર્ન ઓવર, IT રીટર્ન, અનુભવ સર્ટિફિકેટ ક્યાંથી આવ્યું તેની પણ તપાસ પાલિકા અધિકારીઓએ ન કરી. ઈજારદારે ટેન્ડરોની શરતોને ઘોળીને પી જઈ અનેક એક્ટિવિટી શરુ કરી છતાં અધિકારીએ કોઈ પગલાં ન લીધાં. 


હું તો લડીશ! અહેમદ પટેલના પરિવારમાં દીકરા-દીકરી વચ્ચે ડખા, હવે કોંગ્રેસ ભરાઈ


દમણના દરિયે યુવતીની અશ્લીલ હરકતથી હચમચી જશો, જાહેરમાં ટોપ ઉતારી વીડિયો બનાવ્યો


વડોદરા પાલિકાના વિપક્ષ નેતા અને કોંગ્રેસ કોર્પોરેટરોએ પીએમ મોદીને પત્ર લખીને સ્ટેટ વિજિલન્સ તપાસની માંગણી કરી છે. કોટિયા પ્રોજેક્ટ સાથેનો કરાર તાત્કાલિક રદ કરવાની પણ માંગ કરી છે. ઘટનાની તપાસ સિટિંગ જજ પાસે કરાવવા કોંગ્રેસ કોર્પોરેટરોની માંગ કરાઈ. કોન્ટ્રાક્ટરે ટેન્ડરની શરતોનો ભંગ કર્યો છતાં કોર્પોરેશનના અધિકારીએ કોઈપણ પગલાં ન લીધાં. 


હરણી તળાવ હોડી દુર્ઘટના બાદ કોર્પોરેશન એક્શનમાં આવી છે. કોટિયા પ્રોજેક્ટે નિષ્કાળજીને લઈ તાત્કાલિક અસરથી કોન્ટ્રાક્ટ રદ્દ કર્યો છે. દુર્ઘટના બાદ મ્યુનિસિપલ કમિશનરે કોન્ટ્રાક્ટ રદ કરતો હુકમ કર્યો છે. લોક ભાગીદારીની શરતો અને સલામતીના સાધનો રાખવામાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી હતી. ગંભીર બેદરકારીને પગલે 18મી તારીખે 12 માસુમ બાળકો સહિત 14 ના મૃત્યુ થયા હતા. 


ગુજરાતમાં બસ ટિકિટ ખરીદી રામાયણ અને મહાભારતમાં જઈ શકશો, વિશ્વાસ ન આવતો હોય તો વાંચો