Valsad News : વલસાડના પારડીના રોહિણા વિસ્તારમાંમાં પિતા પુત્ર વચ્ચે રૂપિયા બાબતે બબાલ થઈ હતી. જેમા પિતાએ કુહાડીની ઘા ઝીંકીની પુત્રની હત્યા કરી નાંખી છે. તો બીજી તરફ, પુત્રની હત્યા બાદ પિતાની તબિયત લથડી હતી. પિતાને વલસાડ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે. આ મામલે પારડી પોલીસે તપાસ હાથ ધરી છે. પિતા પુત્ર વચ્ચે બબાલનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે, પ્રાથમિક કારણ એ સામે આવ્યું કે, પુત્રએ પિતા પાસેથી ઘર બનાવવા માટે રૂપિયા માંગ્યા હતા, જે મુદ્દે મામલો ગરમાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડના પારડીના રોહિણામાં પિતાએ પુત્રની હત્યા કરતા ચકચાર મચી ગઇ છે. ઘર બનાવવા માટે પુત્રએ પિતા પાસેથી રૂપિયાની માંગ કરી હતી. પરંતુ આ બાબતે પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ ગુસ્સે થયેલા પિતાએ કુહાડીના ઘા ઝીંકી પુત્રની હત્યા કરી દીધી હતી. આ ઘટનાથી રોહિણામાં ભારે ચર્ચા ઉઠી હતી. 


સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિને ગાંધીનગરનું તેડું, ભાજપના સાંસદે કહ્યુ, ‘છુટ્ટા કરી દો’


અમેરિકામાં મા ઉમિયાનું ભવ્ય ધામ બન્યું : ગુજરાતના 51 પાટીદાર પરિવાર પાટલા યજમાન બનશે


તો બીજી તરફ, પુત્રની હત્યા કર્યા બાદ પિતાની પણ તબિયત લથડી છે. તેમને વલસાડ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે વલસાડ પોલીસે તપાસ શરૂ કરી છે. આખરે પિતા પુત્ર વચ્ચે એવુ તો શુ બન્યુ હતું કે, પિતાના માથા પર ખૂન સવાર થઈ ગયું હતું કે, પોતાના જ પુત્રને આટલી નિર્દયી રીતે રહેંસી નાઁખ્યો હતો. કે આ ઘટનામાં બીજુ કોઈ કારણ છે કે શું. હાલ પોલીસ દ્વારા આજુબાજુમાં રહેતા લોકોની અને પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે.


ગુજરાતની રાજધાનીમાંથી મળી હથિયારો ભરેલી ગાડી, શું કોઈ મોટું પ્લાનિંગ હતું?


અંબાલાલ પટેલ પેટાળમાંથી પાણી શોધવામાં માહેર છે, તાંબાના સળિયાથી કરે છે દેશી જુગાડ