બ્રિજેશ દોષી/અમદાવાદઃ અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે ભાજપના ત્રીજા ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. વેજલપુરના ધારાસભ્ય કિશોર ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એસિમ્પટોમેટિક હોવાથી તેમને ઘરે ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આ પહેલા ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ અને બલરામ થાવાણી પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં કોરોનાની ગંભીર સ્થિતિ
અમદાવાદમાં દરરોજ 250થી લઈને 300 સુધી કેસો નોંધાઈ રહ્યાં છે. ગઈકાલે જ અમદાવાદમાં નવા 290 કેસ નોંધાયા હતા. અત્યાર સુધી અમદાવાદમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો 13063 કેસ નોંધાયા છે. જેમાં 910 લોકોના મૃત્યુ થયા છે તો 8932 લોકો સારવાર બાદ સાજા થયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર