Gujarat Rainfall: છેલ્લાં 24 કલાકથી ગુજરાતમાં વરસી રહ્યો છે સાર્વત્રિક વરસાદ. એમાંય રાજ્યના અમદાવાદ જિલ્લામાં તો મનમુકીને વરસી રહ્યાં છે મઘરાજા. ત્યારે ભારેથી અતિભારે વરસાદને પગલે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. જોકે, અમદાવાદ જિલ્લાનો એક વિસ્તાર તો એવો પણ છે જ્યાં ચારેય બાજુથી તૂટી પડેલાં વરસાદને પગલે બેટ જેવી સ્થિતિનું નિર્માણ થયું. ભારે વરસાદને કારણ અહીં ઢગલાબંધ લોકો ફસાઈ ગયા હતા. આવી સ્થિતિમાં અંદાજે 150થી વધુ લોકોને ટ્રેક્ટર દ્વારા રેસ્કયૂ કરવાની ફરજ પડી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમે વાત કરી રહ્યાં છીએ અમદાવાદ જિલ્લાના સાણંદ વિસ્તારની. જીહાં, ધોધમાર વરસાદને પગલે સાણંદનું રૂપાવટી ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું. જેને કારણે ગામના ખેતરમાં ફસાયેલાં વાદી સમુદાયના 150થી વધુ લોકોને ટ્રેક્ટર દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યાં. ભારે વરસાદની વિકટ પરિસ્થિતિમાં વાદી સમુદાયની વ્હારે આવ્યું વહીવટી તંત્ર...


  • અમદાવાદના સાણંદના રૂપાવટી ગામે ખેતર વિસ્તારમાં ફસાયેલા ૧૫૦થી વધુ લોકોને સ્થળાંતરિત કરાયા

  • વાદી સમુદાયના નાગરિકો, તેમના માલ-ઢોર અને ઘરવખરી અન્ય સ્થળે ખસેડવા ટ્રેક્ટરની વ્યવસ્થા કરાઈ

  • વરસતા વરસાદમાં દેવદૂત બનીને આવેલા વહીવટીતંત્રનો આભાર માનતા નાગરિકો


રાજ્યમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિને કારણે ના ધોરણે રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે. ના માર્ગદર્શનમાં જિલ્લાભરમાં વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ પર સમગ્ર વહીવટી તંત્ર નજર રાખી રહ્યું છે. ગતરાત્રીએ અમદાવાદ જિલ્લામાં ઠેર ઠેર ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે ત્યારે સાણંદ તાલુકાના રૂપાવટી ગામે ખેતરમાં રહેતા વાદી સમુદાયના ૧૫૦થી વધુ નાગરિકો ફસાયા હતા.


રૂપાવટી ગામના તલાટી કે.સી. બરંડા અને તેમની ટીમ દ્વારા ફસાયેલા લોકોને તાત્કાલિક ધોરણે સ્થળાંતરિત કરી સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ટ્રેક્ટરની મદદથી નાગરિકો ઉપરાંત તેમના પશુધન અને ઘરવખરીને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. વરસતા વરસાદમાં દેવદૂત બનીને આવેલા વહીવટીતંત્રનો નાગરિકોએ આભાર માન્યો હતો. ત્યારબાદ તેઓ તેમને વતન ધાંગધ્રા તરફ રવાના થયા હતા.