અમદાવાદ: પ્રધાનમંત્રી મોદીના માતા હીરાબાની તબિયત અચાનક લથડતાં યૂએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમાચાર વાયુવેગે ફેલાતા અનેક ધારાસભ્ય, સાંસદ, કોર્પોરેટર સહિતના લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા. પીએમ મોદી પણ માતા હીરાબાને મળવા દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા હતા. જ્યાં પીએમ મોદીએ હોસ્પિટલમાં ડોક્ટરો સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ માતાની ખબર અંતર પૂછ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્લી જવા રવાના થયા છે. માતાની તબિયતમાં સુધારો થતાં દોઢ કલાક હોસ્પિટલમાં રોકાયા બાદ દિલ્લી જવા નીકળ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદી પહોંચ્યા બાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ PM મોદીનાં માતા હીરાની તબિયતમાં સુધારા પર હોવાનું હેલ્થ બુલેટિન જાહેર કરાયું હતું. સમયસર સારવાર મળતા હીરાબાના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે. યુ.એન મહેતા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટરોએ PM મોદીનાં માતા હીરાની સારવાર કરી હતી.


સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: ALERT! 31 ડિસેમ્બર બાદ આ 49 સ્માર્ટફોનમાં WhatsApp થઈ જશે બંધ, તમારો ફોન તો નથી ને!
આ પણ વાંચો: Kiara થી માંડીને Shanaya સુધી, ન્યૂ ઇયર પર કોપી કરો આ બોલીવુડ હસીનાઓનો લુક


મળતી માહિતી અનુસાર યૂએન મહેતા હોસ્પિટલમાં પ્રધાનમંત્રી મોદીએ તબીબો પાસેથી હીરાબાની તબિયત વિશે સમગ્ર માહિતી મેળવી હતી. આ ઉપરાંત હોસ્પિટલે સત્તાવાર રીતે હીરાબાની તબિયત સ્થિર હોવાનું જણાવ્યું હતું.


સાંસદ જુગલજી ઠાકોરે આપ્યું નિવેદન
રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદી આજે માતા હીરાબાની તબિયત પૂછવા માટે યુએન મહેતા હોસ્પિટલ ખાતે સાંજે ચાર વાગ્યે પહોંચ્યા હતા. માતા હીરાબાની પાસે તેઓ બેઠા હતા અને માતાની તબિયતને લઈ ચિંતાતુર જણાયા હતા. આશરે સવા કલાક સુધી તેઓ માતા સાથે બેઠા હતા અને ડોક્ટરો પાસેથી માતાની તબિયતને લઈ અને માહિતી મેળવી હતી. માતા હીરાબાની તબિયત હાલ સુધારા ઉપર છે.


આ પણ વાંચો: આ સ્ટારકિડ્સની બોલ્ડનેસની બોલબાલા, ફોટો જોઇ ફેન્સ થયા પાણી પાણી!
આ પણ વાંચો: ટિકિટ કેન્સલ કર્યા વિના પણ રિઝર્વેશનની તારીખોમાં કરી શકો છો ફેરફાર, જાણો રીત
આ પણ વાંચો: પાર્ટીમાં ન્યાસાના બોલ્ડ લુકનો વિડીયો થયો લીક, ટલ્લી જોઇ ટ્રોલ કરવા લાગ્યા ફેન્સ