ગાંધીનગરઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યની વર્તમાન સ્થિતિને લઈને એક બેઠક યોજી હતી. આ બેઠકમાં ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને કેબિનેટ પ્રધાન સૌરભ પટેલ હાજર રહ્યાં હતા. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મામલે ગુજરાત સહિત દેશમાં કોંગ્રેસે આપેલા બંધને મામલે રાજ્યમાં ઘણી જગ્યાએ હિંસક ઘટના બની હતી. તો ક્યાંક પથ્થરમારો પણ થયો હતો. આ તમામ પરિસ્થિતિને લઈને મુખ્યપ્રધાને બેઠક યોજી હતી. 


આ સાથે અમદાવાદમાં ચાલી રહેલા હાર્દિકના ઉપવાસની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે રાજ્યની વર્તમાન પરિસ્થિતિ સહિતના મુદ્દે સીએમે ચર્ચા કરી હતી.