રાજકોટ : એક તરફ રાજકોટમાં કોરોના પોઝિટિવ આંક વધી રહ્યો છે. સતત વધી રહેલા કેસોના પગલે મુખ્યપ્રધાને આરોગ્યની ટીમ સાથે રાજકોટમાં રિવ્યું બેઠક લીધી અને આ બેઠકમાં ટેસ્ટીંગે વધારવા માટે આદેશ આપવામાં આવ્યો. જો કે મુખ્યપ્રધાનનાં આદેશ રાજકોટનાં વહીવટી વિભાગને ઘોળીને પી ગયા હોય તેવી સ્થિતીનું નિર્માણ થયું છે. છેલ્લા એક અઠવાડીયાથી જે ટેસ્ટીંગ કરવામાં આવ્યા તેને બમણા કરવાનાં બદલે ઘટાડવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છોટાઉદેપુર: નસવાડીની સરકારી શાળાએ ગાઇડલાઇનનો ભંગ કર્યો, વિદ્યાર્થીઓને પુસ્તકો લેવા બોલાવ્યા

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યપ્રધાને સુચના આપી તે દિવસે આરોગ્ય વિભાગે સપ્તાહનાં એવરેજ ટેસ્ટીંગ કરતા અડધા ટેસ્ટીંગ કર્યા હતા. વિરોક્ષ પક્ષે તંત્ર દ્વારા મુખ્યપ્રધાનના હોમ ટાઉનમાં કેસ ઓછા દેખાડવા માટે આંકડાઓની માયાજાળ રચવામાં આવતી હોવાનાં આરોપો પણ જાગૃત નાગરિકો કરી રહ્યા છે. 


અમદાવાદ : ઓઢવમાં ફાકીના પૈસા નહી આપવા બાબતે યુવકે છરીના ઘા મારી યુવક ફરાર

મહત્વનું છે કે, અગાઉ મોતનો આંકડાઓમાં પણ વિસંગતતા જોવા મળી હતી. હવે ટેસ્ટીંગની સાઇઝ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. અત્યાર સુધી શહેરમાં એવરેજ 50થી 55 પોઝિટિવ કેસ સામે આવે છે. જેનાથી કેસ વધતા નથી ત્યારે ટેસ્ટીંગ અને પોઝિટિવ દર્દીઓની સંખ્યાને પણ લઇને જરૂરથી સવાલો ઉઠી રહ્યા છે. હવે એ પણ જોવાનું રહેશે કે, ટેસ્ટિંગ વધારવાથી રાજકોટમાં પોઝિટિવ કેસની સંખ્યા બમણી થાય છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube