તેજસ મોદી/મહેસાણા: મંગળવારે દૂધસાગર ડેરી ખાતે યોજાનારી વાર્ષિક સાધારણ સભામાં હોબાળો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભા મળનારી છે. ત્યારે સભા પૂર્વે ડેરી સંકુલ બહાર વિપુલ ચૌધરીના સમર્થકો પર અશોક ચૌધરીના સમર્થકોએ હુમલો કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. સાધારણ સભામાં પ્રવેશ મામલે ઘર્ષણ થયું હોવાની માહિતી મળી રહી છે. આ હુમલામાં ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોંઘજીભાઈ દેસાઈને ઇજા પહોંચી છે. તેના સિવાય મોંઘજીભાઈ, તેમના પુત્ર અને ભાણા પર હુમલો કરાયો છે. બીજી બાજુ ટોળાને વિખેરવા મોંઘજીભાઈના પુત્રએ હવામાં ફાયરિંગ કર્યું છે.


સભા પૂર્વે ડેરી સંકુલ બહાર વિપુલ ચૌધરીના સમર્થકો પર અશોક ચૌધરીના સમર્થકોએ કરેલા હુમલામાં ઘાટલ થનાર લોકોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. દૂધસાગર ડેરીની આજે વાર્ષિક સાધારણ સભા મળનારી છે, ત્યારે ભ્રષ્ટાચાર બહાર લાવવા મામલે હુમલો કરાયો હોવાનું મોંઘજીભાઈ જણાવ્યું છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube