આશ્કા જાની, અમદાવાદ: અમદાવાદની 143મી રથયાત્રા પૂર્ણ થયા બાદ મહંતનું મોટું નિવેદન સામે આવ્યું છે. દિલીપદાસજી મહારાજ રથયાત્રા સંપન્ન થતા ભાવુક થયા અને કહ્યું કે મારી સાથે બહુ મોટી રમત રમાઈ ગઈ છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે ખોટા વ્યક્તિ પર મે રાખ્યો ભરોસો રાખ્યો હતો. દિલીપદાસજી મહારાજે મંગળા આરતી સુધી ભરોસો અપાયો હોવાનો પણ દાવો કર્યો હતો. પરંપરાગત રીતે રથયાત્રા નીકળે તેવી મહંતની ઈચ્છા હતી. મંગળા આરતી સુધી તેમના આશા હતી કે, પરંપરાગત રીતે રથયાત્રા નીકળશે. દિલીપદાસજી મહારાજના આ નિવેદનથી અનેક સવાલો પણ ઉભા થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે જગન્નાથ મંદિરમાં સવારે મુખ્યમંત્રીએ ભગવાનનો રથ 10 ફૂટ જેટલો ખેંચ્યો હતો. તેમની વિદાય પછી મંદિરના મહંત દિલીપદાસજી અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્રણેય રથને 7 વખત પરિક્રમા કરાવવાને બદલે 1 પરિક્રમા પછી પોલીસે અટકાવતા મહંત દિલીપદાસજી રિસાઇ ગયા હતા અને તેમને દોઢ કલાક સુધી ઉચ્ચ અધિકારીઓએ તેમને મનાવવાનો પ્રયાસ કર્યો હતો.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube