Climate Change In Gujarat: પ્રકૃતિના ચક્રમાં હસ્તક્ષેપ કરવા પર, માણસને પ્રકૃતિના પ્રકોપનો સામનો કરવો પડે છે. સંશોધકોનું કહેવું છે કે દરિયાનું સ્તર વધવાથી અને આબોહવા પરિવર્તનને કારણે ગુજરાતનો લગભગ 110 કિમીનો દરિયાકિનારો ધોવાણનો સામનો કરી રહ્યો છે. અન્ય એક સંશોધનમાં એવું કહેવામાં આવ્યું છે કે અમદાવાદમાં ભૂગર્ભજળના વધુ પડતા ખેંચાણને કારણે વાર્ષિક 12 થી 25 મીમી ધસી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈસરોના સ્પેસ એપ્લીકેશન સેન્ટરના 2021ના સંશોધન 'શોરલાઈન ચેન્જ એટલાસ ઓફ ઈન્ડિયન કોસ્ટ-ગુજરાત-દીવ અને દમણ' પર સંશોધક રતેશ રામક્રિષ્નન અને અન્ય સંશોધકો દ્વારા કરવામાં આવેલ સંશોધનમાં જાણવા મળ્યું છે કે "ગુજરાતનો 1052 કિમીનો દરિયાકિનારો સ્થિર છે, 110 કિમીનો નાશ થયો છે." એવું પણ નોંધવામાં આવ્યું છે કે દરિયાની સપાટીમાં વધારો અને આબોહવા પરિવર્તનને કારણે કાંપ જમા થવાને કારણે ગુજરાત રાજ્યએ 208 હેક્ટર જમીન મેળવી હોવાનો અંદાજ છે, જ્યારે રાજ્યે ધોવાણને કારણે 313 હેક્ટર જમીન ગુમાવી છે.


એક્સપર્ટે ક્લાઈમેટ ચેન્જના જોખમોને ત્રણ ભાગમાં વિભાજિત કર્યા છે
કૃણાલ પટેલ વગેરેના 42 વર્ષના અવલોકનનો બીજો અભ્યાસ જણાવે છે કે સૌથી વધુ દરિયાકાંઠાનું ધોવાણ કચ્છ જિલ્લામાં થયું હતું, જેમાં રાજ્યના 45.9 ટકા દરિયાકિનારાનો નાશ થયો હતો. પટેલ વગેરેએ આબોહવા પરિવર્તનના કારણે જોખમમાં રહેલા પ્રદેશને ત્રણ ભાગોમાં વિભાજિત કર્યા છે, દરિયાની સપાટીમાં વધારાના કારણે ગુજરાતનો દરિયા કિનારો ચાર જોખમ વર્ગમાં , 785 કિમી ઉચ્ચ જોખમ અને 934 કિમી મધ્યમ જોખમ અને નીચા જોખમની  શ્રેણીમાં આવે છે. 


આ સંશોધન મુજબ, "16 દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી, 10 જિલ્લા ધોવાણથી પીડિત હોવાના અહેવાલ છે, જે કચ્છમાં સૌથી વધુ છે, ત્યારબાદ જામનગર, ભરૂચ, વલસાડ છે. આ ખંભાતના અખાતમાં દરિયાની સપાટીના તાપમાનમા વ્રુદ્ઘીને કારણે છે.  સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 1 સે. અને કચ્છના અખાતમાં 0.75 સે.ના વધારાને કારણે છે, જે છેલ્લા 160 વર્ષમાં સૌથી વધુ છે."


આ પણ વાંચો:
Fear of Corona: કોરોના તો ગયો પણ પાછળ છોડી ગયો તેનો ડર, જુઓ આ વીડિયો
ગલવાનની પિચ પર ભારતીય સૈનાની બેટિંગ, ઝીરો ટેમ્પરેચરમાં ક્રિકેટ રમતા દેખાયા જવાન
સરકારે RBIનું 200 ટન સોનું વિદેશ મોકલ્યું-268 ટન ગીરવે રાખ્યું? જાણો આ દાવાની સચ્ચાઈ



સ્થાનિક નિવૃત્ત સરકારી કર્મચારીએ આ આશંકા વ્યક્ત કરી હતી
1969માં, અમદાવાદ જિલ્લાના માંડવીપુરા ગામના 8,000 અને ભાવનગર જિલ્લાના ગુંદલા ગામના 800 ગ્રામવાસીઓનું પુનર્વસન કરવું પડ્યું કારણ કે ખેતીની જમીન અને ગામનો ભાગ દરિયાના પાણીમાં ડૂબી ગયો હતો. ખંભાતના અખાતના પશ્ચિમ કિનારે આવેલા અમદાવાદ અને ભાવનગર જિલ્લાના અન્ય ગામો પણ સમાન જોખમમાં છે. ચોમાસા દરમિયાન પૂરના પાણી અને દરિયાના પાણીને કારણે મોટા ભાગના ગામો ડૂબી જાય છે.


ઉમરગામમાં વરસાદ દરમિયાન ઘરોમાં પાણી ઘૂસી જાય છે
ઉમરગામ તાલુકાના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સચિન માછીએ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લાના કેટલાય ગામો જોખમમાં છે. ઉમરગામ તાલુકાના ઓછામાં ઓછા 15,000 લોકોના જીવન અને આજીવિકા જોખમમાં છે કારણ કે દરિયાનું પાણી તેમના ઘરમાં ઘૂસી ગયું છે. તેમને લાગે છે કે જેમ દમણ પ્રશાસને દરિયા કિનારે 7 થી 10 કિમીની સુરક્ષા દિવાલ બનાવી છે તેમ ગુજરાત સરકારે ઉમરગામ તાલુકામાં 22 કિમી લાંબી સુરક્ષા દિવાલ બનાવવી જોઈએ જેથી ગ્રામજનોના જીવ બચાવી શકાય.


જો દરિયાઈ સપાટી વધવાથી ગામડાઓ જોખમમાં છે તો અમદાવાદ ડૂબી જવાનું જોખમ છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચના વૈજ્ઞાનિક રાકેશ ડુમકા દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં તારણ આવ્યું છે કે અમદાવાદીઓ દ્વારા ખેંચવામાં આવતા ભૂગર્ભ જળને કારણે અમદાવાદ વાર્ષિક 12 થી 25 મીમી ડૂબી રહ્યું છે. 


આ પણ વાંચો:
ઋષિકુમારોના નામે ટીમ, સંસ્કૃતમાં કોમેન્ટ્રી, ચોગ્ગા છગ્ગા પર બોલાશે વૈદિક મંત્રો
Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...
રાશિફળ 04 માર્ચ: આ 5 રાશિના જાતકો પર આજે રહેશે શનિદેવની ભરપૂર કૃપા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube