અમદાવાદ: ચૂંટણી નજીક આવી રહી છે તેમ દરેક પાર્ટીઓના નેતાઓ હવે ચૂંટણીની ટિકીટ માટે માંગણીઓ કરી રહ્યા છે. અનેક નેતાઓ મેદાને જંગ માટે ઉતરી ચૂક્યા છે. ત્યારે અનેક નેતાઓએ પોતાના મતવિસ્તારમાં  લોકસંપર્ક પણ કરવા મંડ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી માંથી ભાજપમાં આવેલા વિજય સુવાળાએ ચૂંટણી લડવા અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. વિજય સુવાળાએ કહ્યું કે પાર્ટી ટિકિટ આપશે તો ચોક્કસ ચૂંટણી લડીશ ભાજપનો વિકાસ અને મારી લોક ચાહના મતમાં કન્વર્ટ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મારી ચાહના મતમાં કન્વર્ટ થશે 
ભુવાજી તરીકે જાણીતા લોક ગાયક વિજય સુવાળાએ જણાવ્યું હતું કે, પાર્ટી જ્યાંથી ટિકિટ આપશે ત્યાંથી ચૂંટણી લડીશ. લોકો ભાજપને પ્રેમ કરે છે, તેમનું સંગઠન અને લોકોની ચાહના અને મારા પ્રત્યેનો પ્રેમ અને વિકાસના કર્યો જોઈને લોકો મત આપવાના છે. સાથે મારી ચાહના આ બંને પાસા મળશે અને લોકો મારી ચાહના મતમાં કન્વર્ટ કરી આપશે.


તમને જણાવી દઈએ કે, વિજય સુવાળાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા છે. ત્યારે હવે તેમણે ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી છે. આમ ચૂંટણી નજીક આવતાની સાથે જ નેતાઓ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ત્યારે લોક ગાયક વિજય સુવાળા પણ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે અને જીત માટેનું સમીકરણ પણ જાહેર કર્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube