Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો મહાસંગ્રામ જામ્યો છે, ત્યારે ZEE મીડિયાએ ગુજરાતનો રાજકીય મંચ તૈયાર કર્યો છે. જ્યાં આજે ગુજરાતની રાજનીતિ પર સવાલ-જવાબ થઈ રહ્યા છે. ZEE મીડિયાના મંચ પર આજે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ હાજરી આપવાના છે. ત્યારે આજે જનતાના મુદ્દાની વાત થશે, હકની વાત થશે અને રાજકીય પક્ષો જનતા માટે શું કરવા માગે છે તેની વાત થવાની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ZEE 24 કલાકના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા અને પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા સાથે વાત કરવામાં આવી હતી. અલ્પેશ કથીરિયાએ કાકા કુમાર કાનાણી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આડેહાથ લેતા કહ્યુ- પરિણામના દિવસ બાદ કાકા કાનાણીને હરદ્વારની તીર્થયાત્રા પર મોકલીશું. આ સિવાય ગુજરાતની રાજનીતિ પર તમામ મુદ્દે બન્ને નેતાઓએ વાત કરી હતી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube