બનાસકાંઠા :પ્રેમમાં લોકો આંધળા થઈ જતા હોય છે. પ્રેમમાં અંધ બનેલી એક જનેતાએ એવુ પગલુ ભર્યું કે કોઈ વિચારી પણ ન શકે. થરાદ પાસેની નર્મદા કેનાલમાં ગઈકાલે 5 લોકોએ સામૂહિક ઝંપલાવ્યાનો કિસ્સો બન્યો હતો. જેમાં આખરે ખૂલ્યુ કે, પોતાના 3 માસુમોને મારીને માતાએ પ્રેમી સાથે આપઘાત કર્યો હતો. જનેતા પ્રેમમાં એવી આંધળી થઈ કે, 3 માસુમોને કેનાલમાં ફેંકતા છાશવાર વિચાર ન કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગઈકાલે થરાદ પાસેની નર્મદા કેનાલમાંથી ત્રણ માસુમ બાળકોની લાશ મળી હતી. તેના બાદ મહિલા અને તેના પ્રેમીની લાશ મળી આવી હતી. થરાદના શણધર ગામની સીમમાં ગઈકાલે નર્મદા નહેરમાં મહિલાએ તેના પ્રેમી અને 3 બાળકો સાથે કેનાલમાં ઝંપલાવ્યુ હતું.થરાદ ફાયર ફાઈટર અને સ્થાનિક તરવૈયો દ્વારા મહિલા અને તેના પ્રેમીની લાશ બહાર કાઢી હતી. એટલુ જ નહિ, આજે શુક્રવારે માતા અને તેના પ્રેમીનો મૃતદેહ લોખંડના તારથી બાંધેલી હાલતમાં મળ્યો છે. સમગ્ર મામલે થરાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


આ પણ વાંચો : નવરાત્રી મુદ્દે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, GMDC ગ્રાઉન્ડમાં ત્રણ વર્ષે ગરબા થશે


આ તપાસમાં મહિલાના પતિએ જ પોલીસ સામે નિવેદન આપ્યુ હતું કે, વાવ તાલુકાના ધરાધરા ગામના તેની જ સમાજના દેવાજી રમેશજી ઠાકોર સાથે તેની પત્નીને પ્રેમસંબંધ હતો. તેથી મહિલાના પતિએ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 


આ માસુમો એટલા નાના હતા કે તેઓ માતાનો પ્રેમ પણ સમજી શકે તેમ ન હતા. આખરે તેમનો ભોગ કેમ લેવાયો. આ ઘટનાથી સમગ્ર પંથકમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે.