ભરત ચૂડાસમા/ભરૂચઃ કેનેડામાં અભ્યાસ કરવા ગયેલા ભરૂચના એક યુવાનનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે. આ મૃતકનું નામ સમીર સીરાજ પટેલ છે. તે ભરૂચનો રહેવાસી છે અને હાલ કેનેડામાં અભ્યાસ કરતો હતો. તે કેનેડાના નાયગ્રા ફોલ પાસે જન્મદિવસની ઉજવણી કરવા માટે મિત્રો સાથે ગયો હતો. આ દરમિયાન દુર્ઘટના બની હતી. હાલ મૃતકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચનો વતની સમીર સીરાજ પટેલ કેનેડામાં અભ્યાસ કરે છે. તે નાયગ્રા ફોલ પાસે મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરવા ગયો હતો. આ દરમિયાન ડૂબી જવાથી તેનું મોત નિપજ્યું છે. હાલ મૃતકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાની માહિતી મળતા ભરૂચમાં રહેતા તેના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર