રાજકોટ : જિલ્લાના જેતપુર અમરનગર ગામ પાસે અકસ્માત થયો છે. લગ્ન પ્રસંગથી પરત ફરી રહેલા વ્યક્તિની ગાડી પલટી મારી જતા બે લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેથી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની વિગત અનુસાર અમરનગરથી જેતપુર તરફ આવતા આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ ગાડી જેતપુરથી અમરનગર લગ્નપ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા. ત્યારે કાર અચાનક પલટી મારી જતા અકસ્માત થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SURAT: અસામાજીક તત્વો બેખોફ, કાયદો વ્યવસ્થા ઓક્સિજન પર, વેપારી પર જીવલેણ હુમલો


અકસ્માત એટલો ગંભીર હતો કે બે લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એકને ગંભીર સ્થિતીમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. અકસ્માત અંગે માહિતી મળતા જ પરિવાર સહિતાનાં લોકો પર આભ ફાટી પડ્યું છે. પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સમગ્ર મુદ્દે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બંન્ને યુવકોનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે ગંભીર ઘાયલ યુવકને સારવાર માટે પણ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો છે. 


Gujarat Corona Update: નવા 285 કેસ 442 દર્દી રિકવર થયા, 1 દર્દીનું મોત

મૃતકોનાં નામ
1. ખુશાલ સિંહ સંજયભાઇ ડોબરિયા (ઉ.વ 10, ચણાકા)
2. કેવલ હેમંતભાઇ રાદડિયા (ઉ.વ 20, ચણાકા)


ઇજાગ્રસ્ત
પ્રિયત અલ્પેશભાઇ નસીત (ઉ.વ 17, નવાઝાજરીયા)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube