Weight Loss: વજન ઓછું કરવામાં સૌથી મુશ્કેલ હોય છે વધેલા પેટને અંદર કરવું. આ કામ મુશ્કેલ એટલા માટે પણ લાગે છે કે પેટની ચરબીને દૂર કરવાનો યોગ્ય ઉપાય કયો છે તેની લોકોને ખબર નથી હોતી. તેના કારણે ડાયટિંગ અને એક્સરસાઇઝ કર્યા પછી પણ ઘણા લોકોની પેટની ચરબીની સમસ્યા દૂર થતી નથી. એવા ઘણા લોકો હોય છે જેમના વજનમાં તો ઘટાડો થાય છે પરંતુ પેટની ચરબી બહાર લબડતી રહી જાય છે. ઘણા લોકો આ સમસ્યાના દૂર કરવા માટે સવારે ખાલી પેટ ગરમ પાણી પીવાનું શરૂ કરે છે. પરંતુ તેનાથી દરેક વ્યક્તિને ફરક પડતો નથી. ત્યારે આજે તમને એવા ત્રણ 3 ડ્રિન્ક વિશે જણાવીએ જે ગરમ પાણી કરતા પણ વધારે અસરકારક છે અને ઝડપથી પેટની ચરબી ઓગાળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેટની ચરબી ઝડપથી ઓગાળવાના ઉપાય


આ પણ વાંચો: ઘરના ઘી સાથે ખજૂર ખાવાની આવી ગઈ સીઝન, જાણો દિવસમાં ક્યારે અને કેટલી ખજૂર ખાવી


અજમાનું પાણી


વજન ઘટાડવાથી લઈને પેટની ચરબી દૂર કરવા માટે અજમાનું પાણી રામબાણ છે. આયુર્વેદ અનુસાર અજમાના પાણીથી શરીરને અન્ય ઘણા ફાયદા થાય છે. અજમાનું પાણી અને એન્ટિઓક્સિડન્ટ ગુણ ધરાવે છે. રોજ ખાલી પેટ અજમાનું પાણી પીવાથી પેટની ચરબી તો ઝડપથી ઓગળે જ છે પરંતુ સાથે એસીડીટીની સમસ્યાથી પણ રાહત મળે છે. તેના માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમા ઉમેરી રાત્રે તેને ઢાંકીને રાખો. બીજા દિવસે સવારે ખાલી પેટ આ પાણીને હૂંફાળું ગરમ કરી અને ગાળી ને પી લો. 


આ પણ વાંચો: Cabbage Worm: આ વાત જાણી તમે મંચુરિયન, મોમોઝ અને નુડલ્સ ઝાપટતાં પહેલા સો વખત વિચારશો


અજમા અને લીંબુનું પાણી


લીંબુનું સેવન કરવાથી શરીરની વિટામિન સીની જરૂરિયાત પૂરી થાય છે. તેના માટે અજમાના પાણીને ઉકાળી તેમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી પણ વજન ઝડપથી ઉતરે છે. 


અજમા અને જીરાનું પાણી


આ પણ વાંચો: ચપટી સંચળ શરીરની આ સમસ્યાઓની કરી દેશે છુટ્ટી, જાણો દવા તરીકે કેવી રીતે કરવો ઉપયોગ


વજન ઓછું કરવા માટે અજમા અને જીરાનું પાણી પણ ફાયદાકારક છે. રોજ સવારે તેનો સેવન કરવાથી ઝડપથી પેટની ચરબી ઉતરે છે. તેના માટે અડધી ચમચી જીરૂ અને અડધી ચમચી અજમાને એક ગ્લાસ પાણીમાં ઉમેરી બરાબર ઉકાળો. આ પાણી ઉકળી જાય પછી ગાડીને હુંફાળું હોય ત્યારે જ તેને પી જવું.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)