Burning Sensation After Pee: યૂરિન પાસ કરતી વખતે કે યૂરિન પાસ કર્યા બાદ પ્રાઈવેટ પાર્ટમાં થતી બળતરા ઘણીવાર સામાન્ય હોય છે. પરંતુ આ તકલીફ લાંબા સમયથી હોય તો તેને ઈગ્નોર ન કરો. આ સમસ્યા ઘણીવાર ગંભીર બીમારીનું લક્ષણ પણ હોય શકે છે. આવું વારંવાર થતું હોય તો તુરંત ડોક્ટરની સલાહ લેવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Sprouted Methi: ડાયાબિટીસ, બેડ કોલેસ્ટ્રોલમાં દવાની જેમ જ અસર કરશે ફણગાવેલી મેથી


યૂરિનમાં બળતરા થવાના કારણો અલગઅલગ હોય છે. જેમાં 3 ગંભીર બીમારીઓ મુખ્ય રીતે જવાબદાર હોય છે. આજે તમને જણાવીએ આ 3 ગંભીર બીમારીઓ વિશે જેના કારણે યૂરિન પાસ કર્યા પછી કે કરતી વખતે પ્રાઈવેટ પાર્ટમાં બળતરાનો અનુભવ થાય છે. 


આ પણ વાંચો: Amla Juice: આ લોકોએ ન પીવું આમળાનું જ્યુસ, પીવાથી ફાયદાને બદલે થાય છે નુકસાન


UTI


યૂરિન પાસ કરતી વખતે બળતરા થવાનું સૌથી મુખ્ય કારણ યૂરિનરી ટ્રેક્ટ ઈન્ફેકશન હોય શકે છે. આ સંક્રમણ મૂત્ર પ્રણાલીના કોઈપણ પાર્ટ એટલે કે કિડની, યૂરિનરી બ્લેડર કે યૂરેટરમાં થઈ શકે છે. યુટીઆઈ ઈન્ફેકશન પુરુષોની સરખામણીમાં મહિલાઓને વધારે થાય છે. આ સમસ્યાના અન્ય લક્ષણોમાં વારંવાર પેશાબ થવો, યૂરિનમાંથી વાસ, પેટના નીચેના ભાગમાં દુખાવાનો સમાવેશ થાય છે. 


આ પણ વાંચો: Pomegranate: એક નહીં 6 બીમારીઓમાં ફાયદો કરે છે દાડમ, જાણીને રોજ ખાશો આ લાલ દાણા


કિડનીમાં પથરી


યૂરિન પાસ કરતી વખતે બળતરા થતી હોય તો તે કિડનીની પથરીનું લક્ષણ પણ હોય શકે છે. કિડનીમાં નાના-નાના ખનિજ અને સોલ્ટના કણ હોય છે જે કિડનીમાં જામવા લાગે છે. પથરીના કારણે યૂરિનની નળી બ્લોક થઈ જાય છે. જેના કારણે પેશાબ કરતી વખતે બળતરા થાય છે. ઘણીવાર પથરીના કારણે પેશાબમાં લોહી પણ આવે છે. 


આ પણ વાંચો: Kidney Stone: કિડનીમાં પથરી વધારે છે આ 5 શાકભાજી, ખાતા હોય તો આજથી કરી દેજો બંધ


સેક્સુઅલી ટ્રાંસમિટેડ ડિસીઝ


યૂરિન પાસ કરતી વખતે બળતરા થવી યૌન સંચારિત રોગનું લક્ષણ પણ હોય શકે છે. STI એટલે કે યૌન રોગનું સંક્રમણ હોય તો પણ આ લક્ષણ જોવા મળે છે. ખાસ કરીને ગોનોરિયા, ક્લૈમાઈડિયા જેવી બીમારીઓમાં યૂરિન પાસ કરતી વખતે બળતરા થાય છે. આવા રોગમાં બળતરા ઉપરાંત યોનિ કે પેનિસમાં ખંજવાળ અને અસામાન્ય ડિસ્ચાર્જ પણ જોવા મળે છે. આ સિવાય યૌન સંબંધ બનાવતી વખતે દુખાવો પણ રહે છે.


આ પણ વાંચો: વરિયાળી ખાઈને વધેલા બ્લડ શુગરને કરો કંટ્રોલ, ડાયાબિટીસ હોય તેણે આ રીતે કરવો ઉપયોગ


અન્ય સંભવિત કારણો


આ ગંભીર સમસ્યાઓ ઉપરાંત જો પાણી ઓછું પીવાતું હોય તો પણ પેશાબમાં બળતરા થાય છે. ડાયાબિટીસના રોગીઓમાં પણ યૂરિનરી ઈન્ફેકશનનું જોખમ વધારે હોય છે. સિસ્ટાઈટિસ નામની સ્થિતિમાં પણ મૂત્રાશયમાં સોજો અને બળતરા રહે છે. 



(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)