Neem Leaves: લીમડાના પાનને આયુર્વેદમાં ઘણી બધી બીમારીઓની નેચરલ દવા માનવામાં આવે છે. કડવા લીમડાના પાન વજન ઘટાડવાથી લઈને સ્કીન સુધારવાના કામ કરે છે. લીમડાના પાનમાં એન્ટી બેકટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી માઇક્રોબીયલ ગુણ હોય છે. ભારતીય ઘરોમાં અલગ અલગ રીતે લીમડાના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આજે તમને એક એવી રીતે જણાવીએ જેને ફોલો કરશો તો બીમારી તમારી આસપાસ પણ નહીં ફરકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:Health Tips: સાકર અને એલચી એકસાથે ખાવાથી દવા વિના દૂર થાય છે આ 5 સમસ્યા


લીમડાના પાનમાં પ્રોટીન, વિટામિન સી, કેલ્શિયમ, ફાઇબર હોય છે. લીમડામાં એન્ટી બેકટેરિયલ, એન્ટિવાયરલ, એન્ટી ફંગલ પ્રોપર્ટીઝ હોય છે. જે શરીરને સ્વસ્થ અને બીમારીઓથી સુરક્ષિત રાખવાનું કામ કરે છે. બદલતા વાતાવરણમાં જો રોજ સવારે એક લીમડાનું પાન ચાવીને ખાઈ લેવામાં આવે તો શરીરને નીચે દર્શાવ્યા અનુસારના ફાયદા થાય છે. 


આ પણ વાંચો:Lukewarm Water: 30 દિવસ સુધી હુંફાળું પાણી પીવાથી શું થાય ? ફાયદા અને નુકસાન જાણી લો


રોગપ્રતિકારક શક્તિ વધશે 


જે લોકો વારંવાર બીમાર પડતા હોય છે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. જો રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોય તો વારંવાર બીમારી આવતી નથી. ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવા માટે લીમડાના પાન ચાવીને ખાવા જોઈએ. જો રોજ લીમડાના પાન ચાવીને ખાવા લાગશો તો શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધી જશે અને શરદી, ઉધરસ, વાઇરલ ઇન્ફેક્શન સહિતની નાની મોટી સમસ્યાઓ થશે જ નહીં. 


આ પણ વાંચો:Flowers: ડાયાબિટીસની દવા છે આ 5 ફૂલ, સવારે ખાઈ લીધું તો રાત સુધી સુગર રહેશે કંટ્રોલ


બોડી ડીટોક્સ 


શરીરમાં જે ગંદકી એકત્ર થતી હોય તેને બહાર કાઢવાની પ્રક્રિયાને ડિટોક્ષ કહેવાય છે. આ કામ કરવામાં પણ લીમડાના પાન ઉપયોગી છે. લીમડાના પાન ચાવીને ખાવાથી શરીર અંદરથી ક્લીન થઈ જાય છે. લીમડાના પાન ચાવીને ખાવાથી શરીરના હાનિકારક તત્વ બહાર નીકળી જાય છે. 


આ પણ વાંચો:Home Remedies: ખાટા ઓડકાર આવતા હોય તેણે ખાવી આ 5 વસ્તુઓ, તુરંત મળે છે રાહત


પાચન સારું રહેશે 


બદલતા વાતાવરણની અસર પાચનતંત્ર પર થાય છે. એટલે જ બદલતા વાતાવરણમાં અપચો, એસીડીટી, બ્લોટીંગ જેવી તકલીફો વધી જાય છે. લીમડાના પાનમાં એવા તત્વ હોય છે જે ગટ હેલ્થને બુસ્ટ કરે છે. તેનાથી ડાયજેશન સંબંધિત સમસ્યા ઓછી થઈ જાય છે. 


આંખને થશે લાભ 


રોજ લીમડાનું પાન ચાવી લેવાથી અથવા તો તેનો રસ પીવાથી આંખને પણ ફાયદો થાય છે. તેનાથી આંખ સ્વસ્થ રહે છે અને આંખની રોશની વધે છે. 


આ પણ વાંચો:નસોમાં જામેલા બેડ કોલેસ્ટ્રોલનો ખાતમો કરી દેશે આ વસ્તુ, દવા લેવાની નહીં પડે જરૂર


આ બધા જ ફાયદા માટે લીમડાનું સેવન કરવું હોય તો રોજ એક અથવા તો છ સાત લીમડાના પાનને પાણીથી સારી રીતે ધોઈ અને ધીરે ધીરે ચાવીને તેનો રસ ગળે ઉતારવો. ત્યાર પછી એક ગ્લાસ પાણી પી લેવું. લીમડાના પાન ખાધા હોય ત્યાર પછી એક કલાક સુધી કંઈ પણ ખાવું પીવું નહીં.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)