Coconut Benefits: ગર્ભાવસ્થાનો સમય દરેક મહિલા માટે સંવેદનશીલ અને મહત્વનો હોય છે. આ સમય દરમિયાન મહિલાએ પોતાના સ્વાસ્થ્યનું અને ગર્ભમાં રહેલા બાળકના સ્વાસ્થ્યનું પણ વિશેષ ધ્યાન રાખવું પડે છે. તેથી જ ગર્ભાવસ્થા દરમિયાન દરેક મહિલાએ પોતાની ડાયટને લઈને સચેત રહેવું જોઈએ. એવી વસ્તુઓનો ડાયટમાં સમાવેશ કરવો જોઈએ છે માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય. આમ તો આવી ઘણી વસ્તુઓ છે પરંતુ તેમાં સૌથી વધારે લાભદાયક કાચું નાળિયેર હોય છે. ગર્ભાવસ્થામાં કાચું નાળિયેર ખાવાથી માતા અને બાળકને જરૂરી પોષક તત્વો મળે છે. સાથે જ તેનાથી ગર્ભાવસ્થા દરમિયાન થતી કેટલીક સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે. તો ચાલો તમને જણાવીએ કાચું નાળિયેર ખાવાથી થતા ફાયદા વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Diabetes ના દર્દીઓ માટે વરદાન છે રસોડાના આ 3 મસાલા, આ રીતે ખાવાથી નહીં વધે બ્લડ સુગર


કબજિયાતથી મળે છે રાહત


કાચા નાળિયેરમાં ફાઇબર સૌથી વધુ હોય છે. જેના કારણે ગર્ભવતી મહિલાઓને થતી કબજિયાત તેમજ અન્ય પેટ સંબંધિત સમસ્યાઓથી મુક્તિ મળે છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને કબજિયાત થાય તે સામાન્ય હોય છે કારણ કે શરીરમાં સતત ફેરફાર થતા હોય છે જેના કારણે પાચન ક્રિયા નબળી પડી જાય છે આવી સ્થિતિમાં નાળિયેર ખાવાથી પાચનની ગતિવિધિ સામાન્ય રહે છે અને મળ ત્યાગ કરવામાં પણ મદદ મળે છે 


રક્ત પ્રવાહ સુધરે છે


નાળિયેરમાં ભરપૂર પ્રમાણમાં લોહ તત્વ હોય છે જે હિમોગ્લોબિનના ઉત્પાદનમાં મદદ કરે છે. હિમોગ્લોબીન એક પ્રોટીન છે જે શરીરમાં દરેક કોશિકા સુધી ઓક્સિજન પહોંચાડવામાં મદદ કરે છે. કાચા નાળિયેરનું સેવન કરવાથી શરીરમાં રક્ત સંચાર સારી રીતે થાય છે અને દરેક કોશિકા સુધી પોષક તત્વ અને ઓક્સિજન બરાબર રીતે પહોંચે છે.


આ પણ વાંચો: Garlic Peel: કચરો ન સમજો લસણના ફોતરાંને, આ બીમારીની છે દવા, જાણો કઈ રીતે કરવો ઉપયોગ


રક્તની ઉણપ થાય છે દૂર


ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓમાં રક્તની ઉણપ સર્જાવવાની સમસ્યા પણ સામાન્ય થઈ જાય છે. આ સમય દરમિયાન શરીરને આયરન સાથે ફોલિક એસિડ અને વિટામીન બી12ની પણ વધારે જરૂરિયાત હોય છે. કાચું નાળિયેર ખાવાથી આ બધા જ પોષક તત્વો શરીરને મળે છે અને સાથે જ રક્તની ઉણપ પણ સર્જાતી નથી.


સ્ટ્રેચ માર્ક્સ માટે ફાયદાકારક


ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાં હોર્મોનલ ફેરફાર થાય છે જેના કારણે મહિલાઓને ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ જાય છે. સાથે જ ત્વચા પર સ્ટ્રેચ માર્ક્સ પણ બનવા લાગે છે. આવી સ્થિતિમાં નાળિયેરનું સેવન કરવાથી તેમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ અને વિટામિન ઈ ત્વચા પર થતી સમસ્યાઓ અને સ્ટ્રેચ માર્ક્સને દૂર કરે છે.


આ પણ વાંચો: શિયાળામાં ખૂબ જ ફાયદો કરે છે ખજૂર, રોજ 2 ખજૂર ખાવાથી આટલી બીમારીઓ થશે દૂર


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)