શરીર માટે જરૂરી પોષક તત્ત્વોની યાદીમાં આયર્નનો સમાવેશ થાય છે. તમારું શરીર યોગ્ય રીતે કામ કરે તેના માટે પૂરતા પ્રમાણમાં આયર્નની જરૂર હોય છે. આર્યન લાલ રક્ત કોશિકાઓનું એક મહત્વપૂર્ણ ઘટક છે. આયર્નની મદદથી આખા શરીરમાં ઓક્સિજનનું વહન થાય છે. તે સ્નાયુઓના સંકોચનમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જેમાં હૃદયના ધબકારાનો પણ સમાવેશ થાય છે. ત્યારે ચાલો જાણીએ કે જો તમારા શરીરમાં આયર્નની ઉણપ છે તો કયા લક્ષણો દેખાવા લાગશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
આ પણ વાંચો: ફક્ત હસવું જ નહી રડવું પણ છે જરૂરી, નોર્મલ રહે છે બીપી, બીજા છે ઘણા ફાયદા
આ પણ વાંચો: શનિની સાડાસાતીનું કષ્ટ, શનિની મારથી બચાવશે આ ઉપાય, જાણો કોના માટે છે જરૂરી


પગ સૂન થઈ જવા
કામ કર્યા બાદ તમારું શરીર વધુ પડતું થાકી જાય અથવા શરીર તૂટવા લાગે ત્યારે તમને આરામની ઊંઘની સૌથી વધુ જરૂર હોય છે. પરંતુ જે લોકોમાં આયર્નની ઉણપ હોય તેઓને રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમનો અનુભવ થઈ શકે છે. આવી સ્થિતિમાં એવું લાગે છે કે કાં તો તમારા પગમાં કીડીઓ દોડી રહી છે અથવા કોઈ પિન તમને ભરાવી રહ્યું છે. મોટા ભાગે આ સમસ્યા રાત્રે થતી હોય છે. જેના લીધે ઊંઘ લેવામાં તકલીફ પડે છે.


આ પણ વાંચો: સાચવજો! પાણી કેવી રીતે, ક્યારે અને કેટલું પીવું જોઈએ, જાણો જરૂરી તથ્યો
આ પણ વાંચો: Unhealthy Eating Habits:ખોટી રીત ભોજન લેવાના આ છે 4 નુક્સાન, આજે જ બદલી દો આ 4 આદતો
આ પણ વાંચો: ગ્રેજ્યુએટ હોવ તો ચોટલી બાંધીને શરૂ કરી દો તૈયારીઓ, 1.60 લાખ રૂપિયા મળશે પગાર


જીભ પર સોજો આવવો
જો કોઈ વ્યક્તિમાં આયર્નની ઉણપ હોય તો તેની જીભમાં સોજો આવવા લાગે છે. આ સ્થિતિને ગ્લોસિટિસ કહેવામાં આવે છે. સોજા ઉપરાંત જીભનો રંગ પણ બદલાય છે. જો તમને આવા લક્ષણો દેખાય તો તેને અવગણવાની ભૂલ ક્યારેય ના કરશો. કેમ કે આવી સ્થિતિમાં તમને ખોરાક ચાવવામાં અને ગળવામાં મુશ્કેલી થઈ શકે છે. આ ઉપરાંત આર્યનની કમી થવાથી હોઠ ફાટવા, મોંના ખૂણામાં તિરાડો પડવી અને મોંમાં ચાંદા પડવા જેવી સમસ્યા થઈ શકે છે.


આર્યનની ઘટથી બરફ ખાવાની ઈચ્છા થાય છે
તમને ખાવા-પીવા સિવાયનું અન્ય કોઈ વસ્તુ ખાવાનું મન થાય તેને Pica કહેવાય છે. જેમાં આયર્નની ઉણપ ધરાવતા લોકોને બરફ ખાવાનું મન થાય છે. જેથી આયર્નથી ભરપૂર ખોરાક ખાવાની આદત પાડવી જોઈએ. જેથી તમે આવી સમસ્યાથી દૂર રહી શકો છો. 


(નોંધ: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેનો અમલ કરતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી જોઈએ. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો: સસ્તામાં પુરૂ થશે સપનું,  60 હજાર રૂપિયાનો iPhone 18 હજાર રૂપિયામાં મેળવો
આ પણ વાંચો: 
WhatsApp સ્ટેટસમાં મળશે નવું ઓપ્શન, વોઈસ નોટ કરી શકશો પોસ્ટ
આ પણ વાંચો: સેલિબ્રિટીથી માંડીને મોટા-મોટા દિગ્ગજો લે છે સલાહ, જાણો એવું તો શું કરે છે પરિધિ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube