Curd With Sugar: દહીં ખાવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. દહીં ખાવાથી શરીરને કેલ્શિયમ પ્રોટીન વિટામીન બીટ 12 વગેરે મળી રહે છે. તેનાથી હાડકા પણ મજબૂત થાય છે અને પાચનતંત્ર પણ મજબૂત રહે છે. કેટલાક લોકોના ઘરમાં દહી રોજ ખવાય છે. તો વળી કેટલાક લોકોને દહીંમાં ખાંડ ઉમેરીને ખાવાનું પસંદ હોય છે. ઘણા લોકો આવું કરે છે પરંતુ હકીકતમાં દહીંમાં ખાંડ ઉમેરીને ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. આ રીતે દહીં ખાવાથી કેટલીક બીમારીઓ થવાનું જોખમ અનેક ઘણું બધી જાય છે. દહી કુદરતી રીતે જ મીઠું હોય છે તેથી તે શરીર માટે ફાયદાકારક છે. પરંતુ જો તમે તેમાં ખાંડ ઉમેરો છો તો તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દહીમાં ખાંડ ઉમેરીને ખાવાથી થતા નુકસાન


આ પણ વાંચો


જમ્યા પછી અપચો થાય છે ? તો આ ઘરગથ્થુ નુસખાથી 5 જ મિનિટમાં મળશે આરામ


આ 5 તકલીફ હોય તેવા લોકોએ ન ખાવું લસણ, ખાવાથી ફાયદો નહીં થાય છે નુકસાન


સવાર, બપોર કે સાંજ Blood Sugar ટેસ્ટ કરવા માટે કયો સમય છે બેસ્ટ ? જાણો


દાંતમાં સડો


જો તમે રોજ દહીંમાં ખાંડ ઉમેરીને ખાવાનું રાખો છો તો તમારા દાંતમાં સડો ઝડપથી થઈ જાય છે. કારણ કે ખાંડ દાંતમાં સડો વધારે છે. તેમાં પણ જો તમે દહીંમાં ખાંડ ઉમેરીને ખાશો તો તમારા દાંતમાં દુખાવો પણ રહેશે.


હૃદય સંબંધિત બીમારી


દહીંમાં ખાંડ ઉમેરીને ખાવાથી હૃદય સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે કારણ કે ખાંડમાં કેલરીનું પ્રમાણ વધારે હોય છે અને તે બ્લડ પ્રેશર વધારે છે. જો તમને બ્લડપ્રેશર ની સમસ્યા હોય તો આજથી જ દહીંમાં ખાંડ ઉમેરીને ખાવાનું બંધ કરી દો.


ડાયાબિટીસ માટે જોખમી


દહીંમાં ખાંડ ઉમેરીને ખાવાથી બ્લડ સુગર લેવલ વધી જાય છે. નિયમિત રીતે દહીંમાં ખાંડ ઉમેરીને ખાવાથી ડાયાબિટીસ થવાનું જોખમ પણ અનેક ઘણું વધી જાય છે. તેથી જો તમે નિયમિત રીતે દહીંમાં ખાંડ ઉમેરીને ખાશો તો ડાયાબિટીસની સમસ્યા થઈ શકે છે.