Milk With Turmeric And Ghee: ઘણા લોકો એવા હોય છે જે રાત્રે સુતા પહેલા દૂધ પીવે છે. જો તમને પણ આદત હોય તો આજથી તે દૂધમાં ઘી અને હળદર મિક્સ કરીને પીવાનું શરૂ કરી દો. જો તમે દૂધમાં ઘી અને હળદર મિક્સ કરીને પીવાનું રાખશો તો તેનાથી ગજબના ફાયદા જોવા મળશે. આયુર્વેદમાં હળદર, દૂધ અને ઘી ત્રણેય વસ્તુના કોમ્બિનેશનને શક્તિનો પાવરહાઉસ કહેવામાં આવે છે. હળદર અને ઘીવાળું દૂધ પીવાથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે અને શરીરને ફાયદા પણ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દૂધમાં ઘી અને હળદર ઉમેરીને પીવાથી થતા ફાયદા 


આ પણ વાંચો: ચામાં રહેલું ટૈનિન નુકસાન નહીં કરે, ચા પીવો તેની 20 મિનિટ પહેલા આ વસ્તુ ખાઈ લેવી


મગજનું સ્વાસ્થ્ય


ઘી અને હળદરવાળું દૂધ પીવાથી મગજનું સ્વાસ્થ્ય સુધરે છે અને સંજ્ઞાનાત્મક કાર્ય જેમ કે નિર્ણય લેવાની ક્ષમતા વિચારવાની ક્ષમતા સુધરે છે. હેલ્ધી ફેટ અને હળદરના પોષક તત્વ મેન્ટલ ક્લેરિટી, ફોકસ અને મેમરીને સપોર્ટ કરે છે. 


આરામદાયક ઊંઘ


એક ગ્લાસ ગરમ દૂધમાં ઘી અને હળદર મિક્સ કરીને પીવાથી આરામદાયક ઊંઘ આવે છે. આ ત્રણ વસ્તુ તેના શાંત કરનાર ગુણ માટે જાણીતી છે. આ ત્રણ વસ્તુઓને એક સાથે લેવાથી શરીરને આરામ મળે છે અને ઊંઘની ગુણવત્તા સુધરે છે સાથે જ તણાવ પણ ઘટે છે. 


આ પણ વાંચો: Apple: સફરજન ખાવામાં ન કરવી આ ભુલ, શરીરને થશે ગંભીર નુકસાન


ઇમ્યુનિટી બુસ્ટ થશે 


દૂધમાં ઘી અને હળદર મિક્સ કરીને પીવાથી ઇમ્યુમ સિસ્ટમ મજબૂત થાય છે. એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર ઘી અને હળદરવાળું દૂધ સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે. તેનાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદ મળે છે. 


ડાયજેશન સુધરે છે 


દૂધમાં ઘી ઉમેરવાથી પાચનતંત્રને જરૂરી ચીકાશ મળી રહે છે જે પાચન કાર્યમાં સહાયતા કરે છે. દૂધમાં ઘી ઉમેરીને પીવાથી કબજિયાત થવાનું જોખમ ઘટે છે. સાથે જ રહેલી હળદર પાચનને સુચારું બનાવે છે. 


આ પણ વાંચો: આ 5 સમસ્યા હોય તો આજથી જ ઘી અને ખજૂર ખાવાનું શરુ કરી દો, પછી દવા નહીં કરવી પડે


સાંધાના દુખાવા 


દૂધમાં હળદર અને ઘી ઉમેરીને પીવાથી સાંધાના દુખાવા અને સોજા પણ ઓછા થાય છે. હળદરમાં સોજા વિરોધી ગુણ હોય છે અને ઘી ચિકાશ ધરાવે છે. જે સાંધાને સ્વસ્થ રાખે છે અને સોજા ઉતારે છે. 


હોર્મોન બેલેન્સ થાય છે 


દૂધમાં ઘી અને હળદર ઉમેરીને પીવાથી હોર્મોન પ્રોડક્શન બેલેન્સ રહે છે. હળદર અને ઘીમાં રહેલા તત્વ હોર્મોન સંબંધિત સમસ્યાને રોકવામાં મદદ કરે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)