Dry Coriander Water: આપણા રસોડામાં એવા ઘણા બધા મસાલા હોય છે જે રસોઈનો સ્વાદ વધારાની સાથે સ્વાસ્થ્ય માટે પણ લાભકારી હોય છે. આવા જ મસાલામાંથી એક હોય છે સૂકા ધાણા. સૂકા ધાણા નિયમિત ખાવાથી સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થાય છે ખાસ કરીને જો સવારે ખાલી પેટ બ્રશ પણ કર્યા વિના તમે સૂકા ધાણા નું પાણી પીવો છો તો તેનાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે, હાર્ટ હેલ્ધી રહે છે અને ત્વચાને પણ ફાયદો થાય છે. તો ચાલો તમને જણાવીએ કે સૂકા ધાણા નું પાણી પીવાથી કયા કયા ફાયદા થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂકા ધાણાનું પાણી પીવાથી થતા લાભ


આ પણ વાંચો: 


Eye Infection: ચોમાસામાં આંખની સંભાળ રાખવા ફોલો કરો આ ટીપ્સ, નહીં થાય આંખની બીમારી


અતિ ભારે વરસાદ બાદ તોળાતું રોગચાળાનું જોખમ, બીમાર ન પડવું હોય તો અપનાવો આ 5 ટીપ્સ


પથરી હોય તો આજથી જ પીવાનું શરુ કરો આ હેલ્ધી ડ્રિંક્સ, 7 દિવસમાં પથરી નીકળી જશે


- ધાણા પલાળેલું પાણી હુંફાળું ગરમ કરીને પીવાથી હાર્ટ હેલ્ધી રહે છે. કારણ કે આ પાણી શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલ નું લેવલ ઘટાડે છે જેના કારણે હાર્ટની સમસ્યા અને હાર્ટ એટેકનું જોખમ ઘટે છે.


- ધાણાના પાણીનું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત રહે છે. પેટના દર્દીઓ માટે સવારના સમયે ખાલી પેટ ધાણાનું પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે તેનાથી ગેસ બ્લોટીંગ કબજિયાત જેવી તકલીફથી રાહત મળે છે.


- સવારે જો તમે ધાણા નું પાણી પીવો છો તો તેનાથી ત્વચામાં પણ નિખાર આવે છે કારણ કે ધાણામાં એન્ટીફંગલ અને એન્ટી બેકટેરિયલ ગુણ હોય છે જે ત્વચાને સાફ અને સ્વસ્થ રાખે છે.


- સવારે ધાણાનું પાણી હુંફાળું ગરમ કરીને પીવાથી મેટાબોલિઝમ સુધરે છે જેના કારણે વજન પણ કંટ્રોલમાં રહે છે. વજન ઘટાડવું હોય તો ધાણા નું પાણી બ્રશ પણ કર્યા વિના પી જવું.


- સવારે ખાલી પેટ ધાણા નું પાણી પીવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે જેના કારણે શરીરની રોગ સામે લડવાની ક્ષમતા વધી જાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)