Cinnamon Benefits: તજ તેના સ્વાદ માટે ખૂબ જ પ્રખ્યાત છે. તજનો ઉપયોગ અલગ અલગ પ્રકારની વાનગીમાં કરવામાં આવે છે. તજનો સ્વાદ અને સુગંધ વાનગી ને વધારે સ્વાદિષ્ટ બનાવે છે. જોકે આ તજ પોષક તત્વોથી પણ ભરપૂર હોય છે. તજમાં ભરપૂર માત્રામાં કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એન્ટિઓક્સિડન્ટ હોય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે જો રોજ તમે એક ગ્લાસ તજનું પાણી પીવો છો તો તેનાથી શરીરને પાંચ ગજબના ફાયદા થાય છે. જો તમે તો જ ખાવાના ફાયદા વિશે ન જાણતા હોય તો આજે તમને જણાવીએ. આ ફાયદા વિશે જાણીને તમે આજથી જ તજનું પાણી પીવાની શરૂઆત કરી દેશો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાચન સુધરશે


તજમાં નેચરલ ડાઈજેસ્ટિવ પ્રોપર્ટીઝ હોય છે જે પાચન તંત્રને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. તજનું પાણી પીવાથી ગેસ એસીડીટી કબજિયાત જેવી સમસ્યાઓ દૂર થઈ શકે છે.


આ પણ વાંચો:


આ 4 વસ્તુઓમાં ઘી ઉમેરી લેવાથી મટી જાય છે શરદી-ઉધરસ, 5 મિનિટમાં ખુલી જાશે બંધ નાક


લીમડાનું પાણી પીવાથી થાય છે 5 ગજબના ફાયદા, જાણો કયા સમયે પીવાથી ઝડપથી થાય છે લાભ


Javitri: આ ગરમ મસાલો ગણતરીની કલાકોમાં મટાડશે શરદી-ઉધરસ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ


યાદશક્તિ રહેશે સારી


જો તમે રોજ તજનું પાણી પીવો છો તો તમારા બ્રેન ફંકશન સારી રીતે કામ કરશે. તમારી એકાગ્રતા વધશે અને યાદશક્તિ પણ સુધરશે.


હાર્ટ રહેશે હેલ્થી


જે લોકો નિયમિત રીતે તજનું પાણી પીવે છે તેની નસોમાં બેડ કોલેસ્ટ્રોલ નું લેવલ ઓછું થઈ જાય છે. સાથે જ બ્લડપ્રેશર મેન્ટેન કરવામાં પણ મદદ મળે છે જેના કારણે હાર્ટ હેલ્થ સારી રહે છે.


ઇમ્યુનિટી બુસ્ટ થશે


તજમાં એન્ટી માઇક્રોબિયલ અને એન્ટિવાયરલ પ્રોપર્ટીઝ હોય છે જે શરીરની ઇમ્યુનિટીને બુસ્ટ કરે છે નિયમિત રીતે તજનું પાણી પીવાથી શરદી, ઉધરસ, તાવ જેવી વાયરલ સમસ્યાઓનું જોખમ ઘણું ઘટી જાય છે.


ત્વચા માટે ફાયદાકારક


તજનું પાણી ત્વચા ને પણ હેલ્ધી રાખે છે. ત્વચાની સમસ્યાઓને દૂર કરીને ત્વચાની ગુણવત્તા જાળવી રાખવામાં તજ મદદ કરે છે. તજનું પાણી પીવાથી ખીલ જેવી સમસ્યાઓથી મુક્તિ મળે છે.


કેવી રીતે બનાવવું તજનું પાણી


એક ગ્લાસ પાણીમાં એક ટુકડો તજ ઉમેરી તેને ઉકાળો. પાણીનો રંગ બદલી જાય અને પાણી અડધું બચે ત્યારે તેને ગાળી તેનું સેવન કરો. તમે આ પાણીમાં સ્વાદ માટે લીંબુ, મધ જેવી વસ્તુઓ ઉમેરી શકો છો.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)