નવી દિલ્હીઃ આયુર્વેદિક ગુણોથી ભરપૂર રસોઈમાં ઉપયોગ થનાર નિગેલા બીજ (Kalonji Seeds) માત્ર ભોજનના સ્વાદને સ્વાદિષ્ટ બનાવતા નથી, પરંતુ ઘણી બીમારીની સારવારમાં પણ ફાયદાકારક છે. નિગેલા બીજમાં ઘણા પ્રકારના પોષક તત્વો અને ઔષધીય ગુણ હોય છે. તેમાં આયરન, સોડિયમ, કેલ્શિયમ, પોટેશિયમ અને ફાઈબર જેવા ન્યૂટ્રિએન્ટ્સ હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિગેલા બીજના ગુણનો લાભ ઉઠાવવા માટે તમે તેને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. 


નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થ અનુસાર નિગેલાના બીજને (Kalonji Seeds) કાળા જીરાના નામથી ઓળખવામાં આવે છે અને તેનો લાભ ઉઠાવવા માટે તેને ડાયટમાં સામેલ કરવા ફાયદાકારક છે. તે ઇમ્યુનિટીને બૂસ્ટ કરવાથી લઈને હાર્ટની હેલ્થમાં પણ ફાયદાકારક છે. અહીં તેના કેટલાક સ્વાસ્થ્ય લાભ આપવામાં આવ્યા છે, જે નિગેલાના બીજનું દરરોજ સેવન કરવાથી તમને મળી શકે છે. 


આ પણ વાંચોઃ પ્લેટલેટ કાઉન્ટને ઝડપથી વધારે છે આ 5 આયુર્વેદિક પાન, જાણો ઉપયોગ કરવાની રીત


ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે
નિગેલાના બીજમાં એન્ટીઓક્સીડેન્ટની ઉચ્ચ માત્રા હોય છે, જે ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવાની સાથે શરીરને વિવિધ બીમારીઓમાંથી બચાવવામાં મદદ કરે છે. ઇમ્યુનિટી માટે નિગેલાના બીજના તેલનું પણ સેવન ફાયદાકારક માનવામાં આવે છે.


ડાયાબિટીસને કંટ્રોલ કરે છે
ડાયાબિટીસના દર્દીઓ માટે નિગેલાના બીજનું સેવન લાભદાયક છે. તે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. સવારે ખાલી પેટ આ બીજના પાઉડરનું સેવન કરવાથી તમારી સુગર કંટ્રોલમાં રહેશે. 


મેટાબોલિઝ્મ બૂસ્ટ કરે છે
નિગેલાના બીજ મેટાબોલિઝ્મને બૂસ્ટ કરવામાં મદદરૂપ છે, જેનાથી તમને વજન ઘટાડવામાં મદદ મળે છે. આ સિવાય તેના પાઉડરને મધ અને ગરમ પાણીમાં મિક્સ કરી સવારે ખાલી પેટ પીવાથી મેટાબોલિઝ્મ બૂસ્ટ થાય છે. 


આ પણ વાંચોઃ એસિડિટીમાં તત્કાલ રાહત આપશે આ શરબત, ઘરે જ બે મિનિટમાં થઈ જશે તૈયાર


પાચનતંત્ર માટે ફાયદાકારક
નિગેલાનું સેવન તમારા પાચન માટે પણ ફાયદાકારક છે. તે ગેસ, બ્લોટિંગ અને પાચન સંબંધી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. 


હાર્ટના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
નિગેલાનું નિયમિત સેવન કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને હાર્ટને સ્વસ્થ રાખે છે. તેના સેવનથી બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલ થાય છે, જેનાથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થાય છે. તે શરીરમાં થનારા સોજાના દુખાવાને ઘટાડે છે. 


Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.