નવી દિલ્લીઃ ન માત્ર મહિલાઓ પરંતુ પુરૂષોને પણ વાળ પ્રત્યે પ્રેમ હોય છે અને વાળ ખરે એ કોઈને ના ગમે...આજની સ્ટ્રેસફુલ લાઈફ, પોષણક્ષમ ખોરાક ન લેવો, પાણી શરીરની ત્વચાને માફક ન આવવું અનેક મુદ્દાઓના કારણે વાળ ખરવાની સમસ્યા થાય છે. વાળ ખરવાની સમસ્યાના કારણે આપણે માનસિક તણાવ અનુભવતા હોય છે. ત્યારે અહીં કેટલાક ઘરેલુ નુસખાઓ છે જેનાથી વાળ ખરવાની સમસ્યાથી મુક્તિ મેળવી શકશો. વાળ ખરતા હોય ત્યારે આપણે શરૂઆતમાં તેને આપણે ગંભીરતાથી લેતા નથી, પરંતુ જેમ જેમ આ સમસ્યા વધે છે તેમ ટાલિયાપણાનો શિકાર બનવાની શક્યતા વધી જાય છે. હોર્મોન્સના લેવલમાં અચાનક બદલાવ, કેલ્શિયમની ખામી અને કેટલીક ગંભીર બિમારીઓના કારણે આ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહીં જાણીએ કે વાળ ખરવાની સમસ્યા માટે કયા ઉપાયો અપનાવી શકાય છે:
 


 


1. ડુંગળીનો ઉપયોગ:
ડુંગળીના બે કટકા કરી લો, 5 થી 7 મિનિટ સુધી માથામાં જે હિસ્સામાં વાળ નથી તે હિસ્સા પર તેને ઘસો, જ્યાથી વાળ ખરી રહ્યા છે ત્યા વાળ ખરવાનું બંધ થશે અને નવા વાળ આવવા લાગશે.


2. કલોંજી:
કલોંજીને પીસીને પાઉડર બનાવો. આ પાઉડરને પાણીમાં મિક્સ કરો અને તે પાણીથી તમારું માથું ધોઈ લો. થોડા દિવસમાં વાળ ખરવાની સમસ્યા દૂર થશે


3. આમળા-લીમડો:
આમળાના પાઉડર અને લીમડાના પાનને પાણીમાં નાખી સારી રીતે ઉકાળી લો. આ પાણીથી અઠવાડિયામાં બે વાર હેર વોશ કરો.


4. મૂલેઠી-કેસર:
ટાલિયાપણાની સમસ્યા દૂર કરવા મૂલેઠીનો ઉપયોગ કરી શકો છો. થોડીક મુલેઠી લો તેમાં દૂધના કેટલાક ટીપાં ઉમેરો અને ચપટી કેસર નાખો. આ બધાને પીસીને પેસ્ટ બનાવી દો. આ પેસ્ટને રાત્રે સોતા પહેલા તેને માથા પર લગાવો અને સવારે શેમ્પુ કરી લો.


5. કેળા- લીંબુ:
કેળાને સારી રીતે સ્મેશ કરી લો અને તેમાં લીંબુનો રસ ઉમેરો. આ મિશ્રણને બ્રશની મદદથી માથામાં લગાવો અને કેટલાક કલાકો માટે તેને રહેવા દો અને ત્યારબાદ વાળ ધોઈ લો.