Bajra Roti for digestion: દેશમાં હાલમાં મિલેટ્સ વર્ષની ઉજવણી ચાલી રહી છે. બાજરીના વપરાશ અંગે સરકાર લોકોને સમજણ પૂરી પાડી રહી છે. ઠંડીની સિઝનમાં ભેજ હોવાથી ફંગસ અને બેક્ટેરિયા ગ્રોથ માટે આ સૌથી સારું ગણવામાં આવે છે. જ્યારે આ સૂક્ષ્મજીવોનો હુમલો આપણા શરીર પર થાય છે તો ઇમ્યૂનિટી નબળી હોવાથી આપણી બોડી પર જલદીથી બિમારીઓની ચપેટમાં આવી જાય છે.  ભારતમાં શિયાળાની સિઝન મોટાભાગના લોકોને ખૂબ ગમે છે પરંતુ આ સિઝન આપણી સાથે ઘના પ્રકારની બિમારીઓને લઇને આવે છે. આ સિઝનમાં બાજરીનો રોટલો સ્વાદ સાથે તમારા સ્વાસ્થ્યનું પણ ખૂબ ધ્યાન રાખશે. તેમાં હાજર ફાઇબર પેટની સમસ્યાને દૂર કરશે અને છુટકારો અપાવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાજરીનો રોટલો ખાવાના ફાયદા


1. બાજરીમાં આયરનની સારી એવી માત્રા મળી આવે છે જે શરીરમાં બ્લડ વધારવામાં મદદ કરે છે. તેના સેવનથી હાર્ટ બ્લોકેજનો ખતરો ઓછો થઇ જાય છે અને હાર્ટ પણ હેલ્ધી રહે છે. હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે તેના સેવનથી પ્રેગ્નેંસીમાં એનીમિયાથી બચાવે અને ગર્ભમાં ઉછરી રહેલા બાળકનો વિકાસ સારી રીતે થાય છે.  



2. બાજરામાં પ્રોટીન, સોડિયમ, કાર્બોહાઇડ્રેટ અને ફાઇબર સહિત ઘણા પોષક તત્વ ભરપૂર માત્રામાં મળી આવે છે. ઠંડીની સિઝનમાં તમે તેનો ઉપયોગ દલિયા, ખિચડી અથવા તેના લોટની રોટલી તરીકે કરી શકો છો. તેને ખાવાથી પેટનું પાચનતંત્ર સારું રહે છે અને ગેસ, પેટનો દુખાવો, અપચો સહિત ઘણી સમસ્યાઓને દૂર રાખે છે. 


3. ગત કેટલાક થોડા વર્ષોમાં લોટના બદલે મોટા અનાજની રોટલીઓ ખાવાનું ચલણ વધી ગયું છે. જો તમે બજારમાં પસંદ નથી કરતા તો, જુવાર, લોબિયા અને ચણાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલુ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો. ZEE 24 KALAK તેની પુષ્ટ કરતું નથી.)


આ પણ વાંચો:
રસોડામાં રાખેલા આ મસાલા આર્થિક સમસ્યાથી અપાવશે મુક્તિ, ગ્રહ દોષ, વાસ્તુ દોષ થશે દુર
રાશિફળ 13 માર્ચ: આ જાતકોને ગ્રહ ગોચર અકલ્પનીય સફળતા અપાવશે, સુખ-સંપત્તિ વધશે

કૂવામાં પડેલો શ્વાન-બિલાડી દોઢ વર્ષ પાણી વગર જીવતો રહ્યો, એંઠવાડો ખાઈને આપી માત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube