રસોડામાં રાખેલા આ મસાલા આર્થિક સમસ્યાથી અપાવશે મુક્તિ, ગ્રહ દોષ, વાસ્તુ દોષ થશે દુર અને ઘરમાં વધશે બરકત

Vastu Dosh Upay: રસોડામાં રહેલા મસાલા ભોજનને તો સ્વાદિષ્ટ અને ચટપટું બનાવે છે પરંતુ શું તમે જાણો છો કે આ વસ્તુ તમને વાસ્તુદોષ અને ગ્રહ દોષથી પણ મુક્ત કરી શકે છે ? મસાલા આપણા ભાગ્યને ચમકાવવામાં પણ મદદ કરી શકે છે. તો ચાલો જાણીએ રસોડામાં રાખેલા કયા મસાલા તમારા ભાગ્યના બંધ દરવાજાને ખોલી શકે છે.

લવિંગ

1/5
image

જો તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ હોય અને તેનાથી મુક્તિ મેળવવી હોય તો લવિંગના ટોટકા ખૂબ જ ઉપયોગી સાબિત થશે. લવિંગ નો ઉપાય કરવાથી રાહુ અને કેતુનો ખરાબ પ્રભાવ ઘટાડી શકાય છે. તેના માટે દર શનિવારે લવિંગનું દાન કરવું જોઈએ તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે.  

હળદર

2/5
image

હળદરનો પ્રયોગ કરવાથી પણ જીવનના બધા જ દોષ દૂર થાય છે. ગુરુવારના દિવસે પાણીમાં હળદર ઉમેરીને તેનાથી સ્નાન કરવાથી ભાગ્યના બંધ દરવાજા પણ ખુલી જાય છે અને આર્થિક સંકટથી રાહત મળે છે. આ સિવાય વિવાહ સંબંધિત સમસ્યા હોય તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને હળદર અર્પણ કરવાથી યોગ્ય જીવનસાથી પ્રાપ્ત થાય છે.

મરી

3/5
image

શનિ સંબંધિત સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે કાળા મરીના ટોટકા ઉપયોગી સાબિત થાય છે. તેના માટે કાળા મરી અને 11 રૂપિયાને કાળા કપડામાં બાંધીને કોઈ જરૂરિયાત મંદ વ્યક્તિને દાન કરી દેવું. 

એલચી

4/5
image

કારકિર્દીમાં સમસ્યાઓ આવતી હોય અને સફળતામાં મળતી ન હોય તો રાત્રે સુતા પહેલા તકિયા નીચે એલચી રાખી દેવી. જ્યારે બીજા દિવસે સવારે ઘરેથી નીકળો ત્યારે આ એલચી કોઈ વ્યક્તિને આપી દેવી આમ કરવાથી નોકરી અને કારકિર્દીમાં આવેલી સમસ્યાઓ દૂર થાય છે.

મીઠું

5/5
image

ઘરમાં જે પાણીથી પોતા કરવાના હોય તેમાં મીઠું ઉમેરીને તેનો ઉપયોગ કરવાથી ધનપ્રાપ્તિ થાય છે. ઘરમાં વાસ્તુદોષ હોય તો કાચની વાટકીમાં મીઠું ભરી અને બાથરૂમમાં રાખી દેવું. થોડા થોડા દિવસે આ મીઠું બદલતા રહેવું.