Pineapple Juice Benefits: ઉનાળામાં ઘણા ફળો છે જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને લોકો માત્ર ફળો જ નહીં, પરંતુ તેના જ્યુસનું પણ સેવન કરે છે. આમાંથી એક એવું ફળ છે જે અનેક ગુણોથી સંપન્ન માનવામાં આવે છે. તેને સ્વાસ્થ્યનો ખજાનો પણ કહેવામાં આવે છે. તેના નિયમિત સેવનથી શરીરને ઘણા પોષક તત્વો મળે છે. આ સાથે શરીરને ઠંડક પણ મળે છે. આ ચમત્કારી ફળનું નામ છે 'પાઈનેપલ'. પાઈનેપલ વિટામિન સીનો સારો સ્ત્રોત છે, જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે. આ સિવાય તેમાં બીટા કેરોટીન, ફોસ્ફરસ, પોટેશિયમ, ફોલિક એસિડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવો જાણીએ આ ચમત્કારી ફળનો રસ પીવાના ફાયદા


પેટની સમસ્યાઓ ઓછી કરે છે
પાઈનેપલ પેટને લગતી સમસ્યાઓને ઓછી કરીને પેટને ઠંડુ કરવાનું કામ કરે છે. જો તમે ડાયેરિયા અથવા પેટમાં દુખાવાની સમસ્યાથી પરેશાન છો, તો પાઈનેપલ જ્યૂસ એક સારો ઓપ્શન બની શકે છે. આના નિયમિત સેવનથી પાચનતંત્ર મજબૂત રહે છે. તેનો રસ એક ગ્લાસ નિયમિત પીવાથી કબજિયાત જેવી સમસ્યાઓથી છુટકારો મળે છે.


હાડકાં મજબૂત થાય છે
પાઈનેપલનું સેવન કરવાથી હાડકાની સમસ્યાઓ દૂર થઈ શકે છે. જો તમે દાંત અને હાડકાંને મજબુત બનાવવા માંગો છો તો તમે પાઈનેપલ જ્યુસનું સેવન કરી શકો છો. તમને જણાવી દઈએ કે, આ રસમાં કેલ્શિયમ, મેંગેનીઝ વધુ હોય છે, જે દાંત અને હાડકાંને મજબૂતી આપે છે.


હાર્ટ હેલ્થ માટે ફાયદાકારક
પાઈનેપલને એન્ટીઑકિસડન્ટ, વિટામિન સીનો સારો સ્ત્રોત માનવામાં આવે છે, જે તમને કાર્ડિયોવેસ્ક્યુલર રોગથી બચાવે છે. આવી સ્થિતિમાં બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડિત લોકોએ પાઈનેપલનો રસ પીવો જોઈએ. આમ કરવાથી હૃદય રોગનો ખતરો ઓછો થાય છે.


ત્વચા માટે ફાયદાકારક
ત્વચા સંબંધિત સમસ્યાઓથી પીડિત લોકો માટે પાઈનેપલનો રસ એક ઉત્તમ વિકલ્પ છે. આના નિયમિત સેવનથી ચહેરા પરના ખીલ અને ફોલ્લીઓથી રાહત મળશે. તમને જણાવી દઈએ કે પાઈનેપલના રસમાં રહેલા પોષક તત્વો ત્વચામાંથી મૃત કોષોને ઘટાડે છે, જે ત્વચાને સુધારે છે. 


આંખો માટે બેસ્ટ
પાઈનેપલ જ્યૂસમાં વિટામિન એ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. આ કારણે તે આંખની સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક માનવામાં આવે છે. આ રસ બાળકોને ફરજીયાતપણે પીવડાવવો જોઈએ. આમ કરવાથી નાની ઉંમરમાં નબળી દ્રષ્ટિની સમસ્યાથી રાહત મળશે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો:
બિપરજોયના ડરથી ગુજરાતમાં તોડવામાં આવી ઈમારતો, 90 ટ્રેનો રદ, ચક્રવાતની અસર જોવા મળી
સૌરાષ્ટ્ર, કચ્છના કાંઠે 15મીએ બપોરે 12 વાગ્યે ભારે પવન સાથે ટકરાશે બિપરજોય  

રાશિફળ 13 જૂન: મેષ સહિત આ રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત શુભ, સારા સમાચાર મળશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube