Dos and Donts After Eating: મોટા ભાગના માણસો ની આદત હોય છે કે તે જમ્યા બાદ તરત જ સૂઈ જાય છે. આવું કરવાથી તમે બીમારીનો ભોગ બની શકો છો. જો તમારી પણ આવી જ આદત હોય તો તમે તમારી આદત ને સુધારી શકો છો નહીં તમે બીમારીનો ભોગ બની શકો છો. રાત્રે જ નહીં જો તમે દિવસે પણ જમી ને સુઈ જતા હોય તો એ તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તમે આદતને બદલી પણ શકો છો અને જો તમને પણ આવી આદત હોય તો જાણીએ તે આદતો થી થતી પરેશાનીઓ વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્યા બાદ ઊંઘવાની આદત હોય તો તમને તેનાથી એસિડિટી અને બળતરા થઈ શકે છે. જમ્યા પછી સૂવાની આદત ના લીધે ડાયજેશન પ્રોસેસને ધીમી કરી નાખે છે. જમ્યા પછી શરીર ખોરાકની પાચન કરવાનું કામ ચાલુ કરી નાખે છે અને તેની સાથે જ ખોરાક પચાવવા માટે આંત એસિડ બનાવે છે. જો ટાઈમે તમે સુઈ જાવ છો તો એસિડ પેટ થી નીકળીને ફૂડ પાઇપ અને ફેફસામાં આવી જાય છે અને તેનાથી બળતરા થવાનું ચાલુ થઈ જાય છે.


આ પણ વાંચો: જાણો શું કરે છે મુકેશ અંબાણીની સાળી, નીતા અંબાણી અને મમતા વચ્ચે છે ગજબનું બોન્ડીંગ
આ પણ વાંચો:
 ગુજરાતના આ ગામમાં નણંદ ભાભી સાથે ફરે છે ફેરા! બહેન ઘોડીએ ચઢીને જાય છે ભાભીને પરણવા
આ પણ વાંચો:  આ પણ વાંચો: Jeans Treand : ટ્રેન્ડમાં છે જિન્સની આ 10 સ્ટાઈલ, તમને આપશે કૂલ અને ફન્કી લુક


જો તમે સુઈ જાવ છો તો ખોરાક પણ સારી રીતે પચી નથી શકતો. કારણ કે તે અનુસાર શરીરના ઘણાં અંગો સ્થિર થઈ જાય છે અને તેની સાથે કામને પણ રોકી નાખે છે અને તેવામાં પાચનની ક્રિયા ધીમી પડી જાય છે અને ઘણી પરેશાનીઓ પણ આવે છે.


આપને જણાવી દઇએ કે ખોરાક લીધા પછી શરીરમાં સુગરનું પ્રમાણ વધી જાય છે.જો તમે જમીને સુઈ જાવ છો તો સુગર શરીરમાં ઉપયોગ નથી થતું અને તેથી વધારાનું સુગર બ્લડમાં મિક્સ થઈ જાય છે અને તેનાથી ડાયાબિટીસનું જોખમ વધી જાય છે.


ખાવાનું ખાધા બાદ ભૂલથી પણ ન કરશો આ ભૂલો નહીં તો થઈ શકે છે મોટું નુકસાન


ખાવાનું ખાઈ લીધા બાદ કેટલાક નિયમોનું પાલન જરૂરી છે. જો તમે આવું નહીં કરો તો તમને મોટું નુકસાન થઈ શકે છે. તો જાણો જમ્યા બાદ તરત જ શું ન કરવું જેથી તમારી હેલ્થ સારી રહે.


તરત જ સૂવું નહીં
અનેક લોકોની આદત હોય છે કે તેઓ જમ્યા બાદ તરત જ સૂઈ જાય છે. આ તેમના માટે ખતરનાક સાબિત થાય છે. ઊંઘ પાચનક્રિયામાં બાધા ઉત્પન્ન કરે છે. જમ્યા બાદ સૂવાથી પેટ ફૂલવું, પીડા, શરીરના દર્દની સંભાવના રહે છે. 


આ પણ વાંચો: દૂધની મલાઈ ફેંકવાની ભૂલ ભૂલથી પણ ન કરતા, જાણો ફાયદા અને ઉપયોગ
આ પણ વાંચો: Shani Uday:5 માર્ચથી આ લોકોને મળશે બમ્પર લાભ, શનિના આશીર્વાદથી થશે ભાગ્યોદય
આ પણ વાંચો: પહાડી વિસ્તારોમાં ફરવા માંગો છો તો આ છે બેસ્ટ ઓપ્શન, કુદરતી સૌદર્યનો છે ખજાનો


ના કરો વ્યાયામ
જમ્યા બાદ તરત જ કસરત કરવી નહીં. ખાવાનું ખાધા બાદ જિમ કે વર્કઆઉટ કરવાથી તમને બેચેની અને અ સુવિધાનો અનુભવ થાય છે. 


ન પીઓ સિગરેટ
જો તમે ભોજન કર્યા બાદ તરત જ સિગરેટ પીઓ છો તો તે હેલ્થ માટે હાનિકારક હોય છે. નિકોટીન ઓક્સીજનની સાથે પ્રતિક્રિયા કરીને અનેક સમસ્યાઓ જન્માવે છે. તેનાથી આંતરડાના કેન્સરની સંભાવનાઓ વધે છે. 


ફળ ખાવાનું ટાળો
જો તમે જમ્યા બાદ તરત જ પોષક તત્વોથી ભરપૂર ફળ ખાવાનું પસંદ કરો છો તો તે તમને  નુકસાન કરી શકે છે. તેનાથી પાચનક્રિયા પ્રભાવિત થાય છે. ખાલી પેટે કે ભોજન કર્યા બાદ થોડા સમય બાદ ફ્રૂટ ખાવું ફાયદારૂપ રહે છે.


ભોજન બાદ અજાણતા કરાતી તરત સૂઈ જવાની અને ફળ ખાઈ લેવાની કે પછી કોઈ કસરત નહીં કરવાની ભૂલો તમને મોટું નુકસાન કરી શકે છે. માટે આ આદત આજથી બદલો તે જરૂરી છે.


આ પણ વાંચો: આ મંદિરમાં મૂર્તિની નહીં પણ યોનિની થાય છે પૂજા, 3 દિવસ નદીનું પાણી થઈ જાય છે લાલ
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: Chanakya Niti: સ્ત્રી પોતાના પતિથી સંતુષ્ટ છે કે અસંતુષ્ટ? આ ઇશારાઓથી પડી જશે ખબર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube