ઝી બ્યૂરો, અમદાવાદઃ ત્રિફળા ચૂર્ણમાંથી બનતી હરડેને જડી-બુટ્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે. હરડેનું સેવન રોજ કરવામાં આવે તો અનેક સમસ્યામાંથી છુટકારો મળે છે. જે લોકોને કબજિયાતનો પ્રશ્ન રહેતો હોય તેવા લોકો હરડેનું સેવન રોજે કરતાં હોય છે. જી હાં હરડે ખાવાથી પેટ સાફ થઈ જાય છે, સાથે કબજિયાત અને ગેસમાં પણ રાહત મળે છે. હરડેનું રોજે સેવન કરવાથી જડમૂળથી ઘણા-બધા રોગોનો નાશ થાય છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વજન ઘટાડવામાં
હરડે પેટને એકદમ સ્વચ્છ અને પાચન તંત્રને સુધારે છે. આ સિવાય હરડે શરીરને ડિટોક્સ કરી વજન ઘટાડવામાં પણ મદદ થાય છે. વજન ઉતારવા હરડેનું નિયમિત સેવન કરવાથી વજનને ઓછું થઇ શકે છે. આ પાચનમાં માટે ફાયદાકારક હોવાથી ગેસ, એસીડીટી અને સાથે બીજી અનેક સમસ્યાઓથી છુટકારો આપે છે અને ધીરે ધીરે તમારા વજનને ઓછું કરવામાં મદદરૂપ થાય છે.

દાંતના દુખાવમાં રાહત
જ્યારે તમને દાંતમાં દુ:ખાવો થાય છે ત્યારે હરડેનું ચૂર્ણ બનાવીને દાંત પર લગાવવાથી રાહત થાય છે. દાંતને લગતી તમામ બીમારીઓમાં રાહત મળશે. હરડેની પેસ્ટ પાતળી છાશમાં ભેગી કરી તેના લીધે કોગળા કરવાથી પેઢા પર આવેલો સોજો દૂર થાય છે અને દાંતમાં થયેલા દુખાવામાં પણ રાહત મળે છે.

કબજિયાત દૂર કરો
કબજિયાતની સમસ્યાથી હેરાન થતા લોકો માટે હરડે વરદાન સમાન છે. કબજિયાત દૂર કરવા માટે હરડેને મીઠા જોડે ખાઓ. અને અડધું ગ્રામ લવિંગ તથા તજ જોડે લેવામાં આવે તો કબજિયાત થોડીક જ ક્ષણોમાં ગાયબ થઈ જાય છે. મોટા ભાગના લોકો કબજિયાતની બીમારીથી પીડાતા હોય છે. હરડેનું ચૂર્ણ કબજિયાતની સમસ્યામાં ખુબ જ ફાયદો અપાવે છે.

સ્કીન એલર્જી
જો તમને સ્કીન સંબંધી કોઈ પણ એલર્જી હોય તો તેમાં હરડેનો ઉકાળો રામબાણ ઈલાજ છે. હરડેના ફળને પાણીમાં ઉકાળીને ઉકાળો બનાવો અને આ ઉકાળાનું સેવન નિયમિત  બે વખત કરવાથી તમારી સ્કીનને ફાયદો થશે.

આંખોની સમસ્યા
હરડેની પેસ્ટ આંખોની નજીક ધીમે ધીમે હાથ વડે લગાવવામાં આવે તો આંખોની તકલીફ દૂર થાય છે અને તેને ખાવાથી આંખોમાં તેજ પણ વધે છે. અને આંખમાં થતી બળતરામાં રાહત મળે છે.

જાતીય શક્તિમાં વધશે
આયુર્વેદમાં જાતીય સમસ્યાઓ દુર કરવા માટે હરડેનો ઉપયોગ થાય છે.એક મહિના માટે દરરોજ ૧ -૨ ગ્રામ હરડે ખાઓ.

અપચાથી છુટકારો
હરડેનું સેવન પાચનક્રિયાને મજબૂત બનાવે છે. ભોજન કર્યા પહેલા હરડે ચૂર્ણમાં સુંઠ ભેળવીને લેવાથી ભૂખ સારી ખુલે છે અને ભૂખ લાગવા લાગે છે. તે સાથે જ સુંઠ,ગોળ કે સિંધવ મીઠું ભેળવીને ખાવાથી પાચન સારું થાય છે.

ચક્કર આવે તો હરડે
અચાનક ચક્કરની તકલીફ છે તો પીપર,આદું,વરીયાળી,હરડે ૨૫-૨૫ ગ્રામ લો. હવે ૧૫૦ ગ્રામ ગોળમાં આ બધું ભેળવીને ગોળીઓ બનાવી લો. ૧-૨ ગોળી દિવસમાં 3 વખત લેવાથી ચક્કર આવવા અને માથું ભમવાનું બંધ થશે. હરડેનું સેવન નિયમિત કરવાથી શરીરમાં એનર્જી રહે છે. હરડેના ટુકડાને ચાવીને ખાવાથી ભૂખ વધે છે.