Health Tips: આપણે જે ખોરાક લેતા હોય છે તેના પાચન નું કામ કરવા માટે શરીરમાં એસિડ બને છે પરંતુ આ એસિડનું પ્રમાણ જ્યારે વધી જાય ત્યારે શરીરમાં એસિડિટી વધે છે. ઘણી વખત એવી વસ્તુઓનું સેવન કરવામાં આવે જે શરીરમાં એસિડ વધારે તો છાતીમાં બળતરા, ઉલટી, માથામાં દુખાવો, પેટમાં દુખાવો જેવી તકલીફ પણ થવા લાગે છે. ઘણા લોકોને વારંવાર એસિડિટી થતી હોય છે. એસિડિટી થી તુરંત રાહત મેળવવી હોય તો તેના માટે કેટલાક ઘરેલુ ઉપાય કરી શકાય છે. આ ઉપાય કરવાથી ગણતરીની મિનિટોમાં એસિડિટીથી મુક્તિ મળી જાય છે. તો ચાલો તમને જણાવીએ એસિડિટીથી મુક્તિ મેળવવાના કેટલાક ઘરેલુ ઈલાજ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઠંડુ દૂધ


એસિડિટીથી રાહત મેળવવી હોય તો ઠંડુ દૂધ પીવું જોઈએ. ઠંડુ દૂધ પીવાથી છાતીમાં થતી બળતરા અને એસિડિટીથી તુરંત રાહત મળે છે. દૂધમાં કેલ્શિયમ હોય છે જે પેટમાં બનેલા એસિડને રોકે છે તેના કારણે છાતીની બળતરા અને દુખાવો પણ મટી જાય છે.


આ પણ વાંચો:


Health Tips: રોજ 5 કલાકથી ઓછી ઊંઘ કરનારને આ ગંભીર બીમારીઓ થવાનું વધે છે જોખમ


આ 5 આયુર્વેદિક ઉપાયો બેડ કોલેસ્ટ્રોલને શરીરમાંથી કરી દેશે બહાર, નહીં આવે હાર્ટ એટેક


બ્લડ સુગર લેવલ દવા વિના રહેશે કંટ્રોલમાં, રોજ સવારે ખાલી પેટ પીવું હળદર વાળું પાણી


અજમા


અજમાનું સેવન કરવાથી પણ એસિડિટીની સમસ્યાથી રાહત મળે છે અજમામાં એવા રસાયણ હોય છે જે પેટ સંબંધિત સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. અજમાનું સેવન કરવાથી પેટમાં એસિડનો પ્રભાવ ઘટી જાય છે અને પાચનતંત્ર સારી રીતે કામ કરતું થાય છે.


વિનેગર


વિનેગરનું સેવન કરવાથી પણ એસિડિટીને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. તેનું સેવન કરવાથી પેટમાં એસિડનો સ્ત્રાવ ઘટે છે. એસિડિટી થઈ હોય ત્યારે પાણીમાં વિનેગર ઉમેરીને પી લેવાથી છાતીમાં થતી બળતરા થી રાહત થઈ જાય છે.


તુલસીના પાન


તુલસીના પાનમાં એન્ટી ઓક્સિડન્ટ ગુણ હોય છે જે એસિડિટીના કારણે થતી સમસ્યાઓને દૂર કરે છે તેનાથી પેટમાં એસિડનો પ્રભાવ પણ ઓછો થાય છે અને પેટમાં શાંતિ થઈ જાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી)