Health Tips: લોકોની દોડધામ ભરેલી દિનચર્યામાં માથાનો દુખાવો એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. ઘણા લોકોને તો વારંવાર માથામાં દુખાવો રહે છે. કોઈ વખત માથાનો દુખાવો એટલો વધી જાય છે કે દવા લેવી પડે. જોકે વારંવાર દવા લેવાથી શરીરને ઘણી બધી આડઅસર થાય છે. તેવામાં જો તમને માથાનો દુખાવો થાય અને દવા વિના માથાનો દુખાવો મટાડવો હોય તો તેના માટે તમે આ 3 વસ્તુની મદદ લઈ શકો છો. આ ઘરગથ્થુ ઈલાજથી તમે માથાના દુખાવાથી તુરંત રાહત મેળવી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માથાનો દુખાવો દુર કરતાં ઘરગથ્થુ ઉપાય


આ પણ વાંચો:


Flaxseeds: આ લોકોએ ભુલથી પણ ન ખાવા અળસીના બીજ, ફાયદાને બદલે થશે આટલા નુકસાન


Health Tips: ઈંડા અને નટ્સ રોજ ખાવા પણ લિમિટમાં.. વધારે ખાવાથી થઈ શકે છે આ 5 સમસ્યાઓ


હાઈ બીપીના દર્દીમાં આ 5 સંકેત હોય છે હાર્ટ એટેકના લક્ષણ, મોડું કર્યા વિના કરો આ કામ


આદુનો ઉકાળો


આદુમાં પ્રાકૃતિક રીતે એવા ગુણ હોય છે જે માથાના દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે. જો તમને માથાનો દુખાવો વારંવાર થતો હોય તો આદુની ચા પી શકો છો. તેના માટે આદુને વાટીને એક કપ પાણીમાં બરાબર ઉકાળો અને પછી ગાળીને તે પાણીનું સેવન કરો. આમ કરવાથી માથાના દુખાવાથી મુક્તિ મળી શકે છે.


ઓઇલ મસાજ


માઈગ્રેન જેવી સ્થિતિમાં એસેન્સ્યિલ ઓઇલની મદદથી માથામાં મસાજ કરવાથી ફાયદો થાય છે. તેના માટે બદામનું તેલ નાળિયેર તેલ અને ઓલિવ ઓઇલ નું મિશ્રણ તૈયાર કરવું અને તેનાથી માથામાં મસાજ કરવી. 


મેગ્નેશિયમ યુક્ત આહાર


મેગ્નેશિયમ એક જરૂરી મિનરલ્સ છે જે હાડકાને હેલ્થી બનાવે છે. સાથે જ તેનાથી થાક અને માથાના દુખાવા જેવી સમસ્યા પણ દૂર થાય છે. જ્યારે શરીરમાં મેગ્નેશિયમની ઉણપ હોય ત્યારે વારંવાર માથામાં દુખાવો થાય છે. આવી સ્થિતિમાં મેગ્નેશિયમ યુક્ત આહાર નું સેવન કરવાથી માથાના દુખાવાની ફરિયાદ ઓછી થઈ જાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)