Health Tips: અનિયમિત આહાર શૈલીના કારણે ઘણીવાર ગેસ, અપચો, એસિડિટી અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ જાય છે. આવી તકલીફ કોઈપણ સમયે થઈ શકે છે. પરંતુ વારંવાર આ સમસ્યામાં દવા લેવી યોગ્ય નથી. દવાઓ લેવાથી ઘણી આડઅસરો સહન કરવી પડે છે. પરંતુ તેનો અર્થ એ પણ નથી કે તમારે આ તકલીફ સહન કરવાની. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાચન સંબંધિત નાની મોટી કોઈપણ સમસ્યા થાય તેને તમે કેટલાક સરળ ઘરેલુ ઉપાયો કરીને દુર કરી શકો છો. આમ તો એવા ઘણા ઘરેલુ ઉપાયો છે પરંતુ આજે તમને સૌથી ઝડપથી અસર કરતાં 2 ઉપાયો વિશે જણાવીએ. આ ઉપાયો ગેસ, અપચો જેવી સમસ્યાથી તુરંત મુક્તિ અપાવશે.


આ પણ વાંચો:


પલાળેલા અખરોટ ખાવાથી શરીરને થશે જાદુઈ ફાયદા, પેટ સહિત આ સમસ્યાઓમાંથી મળશે રાહત


આ પાંચ ફળ ખાધા પછી ક્યારેય ન પીવું પાણી, પીધું તો શરદી-ઉધરસ નહીં છોડે પીછો


જો 30 દિવસમાં એક પણ પિઝા નહીં ખાવ તો શરીરમાં જોવા મળશે આ ફેરફાર, જાણીને લાગશે નવાઈ


લવિંગ હરડેનું ચૂર્ણ


લવિંગમાં એન્ટિઓક્સિડન્ટની માત્રા વધારે હોય છે જે ઇમ્યુનિટી ને બુસ્ટ કરે છે. જે લોકોને અ પચાની તકલીફ હોય તેમણે એક ગ્રામ લવિંગમાં 3 ગ્રામ હરડે ચૂર્ણ મિક્સ કરીને ઉકાળો બનાવી લેવો. હવે આ ઉકાળામાં સિંધવ મીઠું ઉમેરીને પીવાથી અપચો મટે છે.


હળદરનો ઉપયોગ


અપચો મટાડવા માટે હળદર પણ અસરકારક છે. હળદર થી માત્ર અપચો જ નહીં પરંતુ ડાયાબિટીસ હૃદય રોગ જેવી સમસ્યામાં પણ લાભ થાય છે. હળદર નો ઉપયોગ કરવાથી અપચામાં પણ રાહત થાય છે. તેના માટે હુંફાળા ગરમ પાણીમાં એક ચમચી હળદર ઉમેરીને પી શકો છો. નિયમિત રીતે હળદર પીવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે અને તેનાથી પેટ સંબંધિત સમસ્યાઓ પણ મટે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)