Side Effect Of Makhana: મખાના એન્ટિ ઇન્ફ્લેમેટરી અને એન્ટિ બેક્ટેરિયલ ગુણથી ભરપૂર હોય છે. તેથી મખાનાનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. એટલું જ નહીં મખાનાનું સેવન કરવાથી વજન પણ ઘટાડી શકાય છે. મખાના ખાવાથી ઘણી બધી સમસ્યાઓથી રાહત મળે છે. પરંતુ તેમ છતાં કેટલાક લોકો માટે મખાના હાનિકારક સાબિત થઈ શકે છે. એવી કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ છે જેમાં મખાનાનું સેવન કરવાથી ફાયદા કરતાં નુકસાન વધારે થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સમસ્યામાં લોકોએ ન ખાવા મખાના


આ પણ વાંચો:


રાતો રાત દૂર થઈ જશે ગોઠણનો દુખાવો, અપનાવો દાદી નાનીના સમયનો આ દેશી ઈલાજ


જાદુઈ મસાલાપાક! ઘોડા જેવી શરીરમાં તાકાત આવશે, પત્નીને કહો આ રીતે બનાવી આપે


Sprouted Wheat: માત્ર ફણગાવેલા કઠોળ જ નહીં ફણગાવેલા ઘઉં પણ સ્વાસ્થ્ય માટે છે ગુણકારી


ગેસ્ટ્રીક પ્રોબ્લેમ


મખાનામાં ફાઇબર અને પ્રોટીન સૌથી વધારે હોય છે. તેવામાં જે લોકોને પાચન સંબંધિત સમસ્યાઓ હોય તેમણે મખાનાનું સેવન ન કરવું જોઈએ. કારણકે મખાનાને પચવામાં વધારે સમય લાગે છે તેવામાં પેટ સંબંધિત તમારી સમસ્યા મખાના ખાવાથી વધી પણ શકે છે. 


કિડની સ્ટોન


જો તમને પથરીની સમસ્યા હોય તો પણ તમારે મખાના ખાવાનું ટાળવું જોઈએ. કારણકે મખાનામાં કેલ્શિયમ વધારે હોય છે. જો તમે પથરીની સમસ્યામાં મખાનાનું સેવન કરો છો તો પથરીની સમસ્યા વધી શકે છે. તેથી જે લોકોને કિડની સ્ટોન હોય તેમણે મખાનાથી દૂર રહેવું.


ડાયેરિયા


મખાનામાં ફાઇબર સૌથી વધારે હોય છે. તેથી તે પચવામાં ભારે હોય છે. તેવામાં જે લોકોને ડાયેરિયાની તકલીફ હોય તેવો મખાનાનું સેવન કરે તો ડાયેરિયાની સમસ્યા વધી શકે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)