Spice: ભારતીય ભોજનમાં જે મસાલાનો ઉપયોગ થાય છે તે સ્વાસ્થ્યવર્ધક પણ હોય છે. અલગ અલગ વાનગીમાં અલગ અલગ મસાલાનો ઉપયોગ થતો હોય છે. કેટલીક વાનગીઓમાં ખાસ પ્રકારના મસાલા ઉમેરવામાં આવે છે જેથી તેનો સ્વાદ પણ વધે અને તે વસ્તુ શરીરને ગુણ પણ કરે. કેટલીક વસ્તુઓમાં ખાસ મસાલા એટલે પણ ઉમેરવામાં આવે છે કે તે સ્વાસ્થ્યને નુકસાન ન કરે. એવું કહેવું ખોટું નહીં હોય કે ભારતીય મસાલા ઔષધીય ગુણોથી પણ ભરપૂર હોય છે. ભોજનનો સ્વાદ વધારવાની સાથે આ મસાલા ભોજનને સ્વાસ્થ્યવર્ધક પણ બનાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Tulsi water: ખાલી પેટ તુલસીનું પાણી પીવાથી આ રોગ દવા વિના હંમેશ માટે થઈ જશે દૂર


ઘરના રસોડામાં આમ તો અલગ અલગ પ્રકારના અનેક મસાલાનો ઉપયોગ થાય છે પરંતુ 7 એવા મસાલા છે જે 1 નહીં પરંતુ અનેક બિમારીઓને શરીરથી દૂર રાખે છે. આ મસાલાનો ઉપયોગ કરવાથી શરીર નિરોગી રહે છે. તો ચાલો તમને જણાવીએ 7 ઔષધી જેવા મસાલા વિશે અને સાથે જ તે કયા રોગને દૂર કરે છે તેના વિશે પણ. 


ઔષધી સમાન ભારતીય મસાલા 


આ પણ વાંચો:  સવારે ઉઠતાની સાથે જ ખાઈ લેવા પલાળેલા 5 અખરોટ, બેડ કોલેસ્ટ્રોલ સહિત આ સમસ્યા થશે દુર


હિંગ 


હિંગની સૌથી મોટી ખાસિયત એ છે કે તે પાચન સંબંધિત સમસ્યાને દૂર કરવાનો ગુણ ધરાવે છે. એસીડીટી, ગેસ અને પાચનની અન્ય સમસ્યાઓને દૂર કરવામાં હિંગ મદદ કરે છે. પેટમાં અંદર સોજો કે દુખાવો હોય તો તેનાથી પણ હિંગ રાહત આપે છે. 


આ પણ વાંચો: આ લાલ જ્યુસ રોજ પી લેવું, સફેદ વાળનો ગ્રોથ અટકશે અને લીવર પણ રહેશે સ્વસ્થ


લસણ 


લસણનો સ્વાદ થોડો તીખો હોય છે અને તેની સુગંધ તીવ્ર હોય છે. ભોજનને સ્વાદિષ્ટ અને ચટપટું બનાવતું લસણ સ્વાસ્થ્ય માટે લાભકારી છે. લસણ એવો મસાલો છે જે બેડ કોલેસ્ટ્રોલ, નબળી ઇમ્યુનિટી, ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ, બ્લડ પ્રેશર સહિતની સમસ્યાઓમાં લાભ કરે છે. 


આ પણ વાંચો: ઘરની આસપાસ જમા થયું હોય વરસાદી પાણી તો આ બિમારીઓ ફેલાવાનું વધે છે જોખમ


કાળા મરી 


કાળા મરીનો ઉપયોગ ભારતીય રસોઈમાં વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. કાળા મરી શ્વાસ સંબંધિત રોગોમાં અને અલગ અલગ પ્રકારના સંક્રમણમાં રાહત આપે છે. કાળા મરીનું સેવન શરદી, ઉધરસમાં પણ ફાયદો કરે છે. 


જીરું 


રોજની રસોઈમાં સૌથી વધુ વપરાતો મસાલો જીરું છે. જીરું ભોજનનો સ્વાદ વધારે છે અને સાથે જ પાચન ક્રિયાને પણ સુધારે છે. જીરાનું પાણી રોજ પીવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. 


આ પણ વાંચો: Panchgavya: ગૌમાતાથી મળતા પંચગવ્ય છે વરદાન, આ 5 વસ્તુઓ દુર કરી શકે છે કોઈપણ બીમારી


તમાલપત્ર 


તમાલપત્ર અલગ અલગ વિટામિનથી સમૃદ્ધ હોય છે. તે ઇમ્યુનિટી બુસ્ટ કરે છે. તમારી પત્રની ચા સાઈનસ તેમજ બંધ નાકની સમસ્યાથી રાહત આપે છે. તમાલપત્રમાં એવા એન્ટિઓક્સિડન્ટ હોય છે જે ફ્રી રેડીકલ્સથી લડે છે અને ત્વચાને થતા નુકસાનથી બચાવ કરે છે. 


જાવંત્રી 


જાવંત્રીમાં એન્ટિ વાયરલ અને એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોય છે. જાવંત્રીનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. આ મસાલો ડાઈજેશન સિસ્ટમને પણ હેલ્ધી રાખે છે. 


આ પણ વાંચો: Dry Cough: સૂકી ઉધરસ માટે દવા કરતાં વધુ અસરકારક છે આ ઘરેલું ઉપચાર, તુરંત થશે અસર


લાલ મરચું 


લાલ મરચું બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેમાં કેપ્સાસીન નામનું તત્વ હોય છે જે મેટાબોલિઝમને તેજ કરે છે. તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. રિસર્ચ અનુસાર કેન્સરથી બચાવ અને સાઇનસની તકલીફમાં પણ લાલ મરચું ફાયદો કરે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)