ઝી બ્યૂરો, અમદાવાદઃ આજે અમે તમારા માટે જુવારના લોટની રોટલીના ફાયદા લાવ્યા છીએ. હા, જો તમે વજન ઓછું કરવા માંગતા હો, અથવા સ્વસ્થ રહેવા માટે આહારમાં પરિવર્તન લાવવા માંગતા હો, તો તમારે ચોક્કસપણે જુવાર શામેલ કરવો જોઈએ. જુવારનો લોટ મેંદો અથવા ઘઉંના લોટનો ઉત્તમ વિકલ્પ છે. ડાયેટિશિયન ડો.રંજના સિંહના જણાવ્યા મુજબ, જુવાર ઘણા પોષક તત્ત્વોથી ભરપુર હોય છે, જેના સ્વાસ્થ્ય માટે આશ્ચર્યજનક લાભ છે. જુવારમાં સારી માત્રામાં ફાઇબર હોય છે, જે પાચનમાં સુધારો કરે છે. તે પેટની સમસ્યાઓથી પણ બચાવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુવારમાંથી મળશે અનેક પોષક તત્વો:
ખનિજ પદાર્થો, પ્રોટીન અને વિટામિન બી જેવા ઘણા પોષક તત્વો જુવારમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, આ સિવાય, જુવારમાં પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ અને આયર્ન પણ ખૂબ હોય છે. જુવાર ખૂબ ઓછી કેલરીમાં વધુ પોષણ આપે છે....


લોહીના પરિભ્રમણ ઝડપી બનાવે છે:
ડાયેટિશિયન ડો. રંજના સિંઘના જણાવ્યા અનુસાર, આયર્ન અને કોપરથી સમૃદ્ધ, જુવાર શરીરના રક્ત પરિભ્રમણને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. જ્યારે લોહ લાલ રક્તકણોના વિકાસમાં સુધારો કરે છે....


વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે:
ડાયેટિશિયન ડૉ. રંજના સિંઘ કહે છે કે ફાઈબરથી સમૃદ્ધ બનેલા જુવારમાં ઉચ્ચ ગુણવત્તાવાળું પ્રોટીન પણ હોય છે. આ બંને લાંબા સમય સુધી તમારા પેટને લાંબો સમય સુધી ભરેલું રાખે છે.. જુવારની એક સ્કૂપમાં 12 ગ્રામ ફાઇબર અને 22 ગ્રામ પ્રોટીન હોય છે. ઘઉં અથવા મેદાના બદલે જુવારનો રોટલો ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહેછે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે....


હાડકા મજબૂત બનશે:
જુવારમાં મેગ્નેશિયમ ભરપુર માત્રામાં હોય છે જે શરીરમાં કેલ્શિયમ ગ્રહણ કરવામાં મદદ કરે છે. કેલ્શિયમ મજબૂત હાડકાં માટે ખૂબ મહત્વનું છે.


ડાયાબિટીઝના દર્દીઓ માટે ફાયદાકારક:
ડાયેટિશિયન ડો.રંજના સિંહના જણાવ્યા મુજબ, ડાયાબિટીસમાં પણ જુવાર ફાયદાકારક માનવામાં આવે છે. ટેનિન નામનું તત્વ જુવારમાં હાજર છે, જે શરીરમાં હાજર સ્ટાર્ચને શોષી લેનારા ઉત્સેચકોના ઉત્પાદનને નિયંત્રિત કરે છે. આ સિવાય તે શરીરમાં ઇન્સ્યુલિન અને ગ્લુકોઝનું સ્તર જાળવી રાખે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube