Food: આજના સમયમાં બીમારીઓ વધારે પ્રમાણમાં ફેલાવવા લાગી છે. નાની ઉંમરમાં ગંભીર બીમારીઓ થવાનું પ્રમાણ પણ વધી ગયું છે. તેનું એક મુખ્ય કારણ એ પણ છે કે લોકો હેલ્ધી ફૂડને બદલે અનહેલ્ધી ફૂડ વધારે ખાવા લાગ્યા છે. આપણે જે પણ વસ્તુ ખાઈએ છીએ તેની અસર સ્વાસ્થ્ય પર થાય છે. દરેક વસ્તુને ખાવાની પણ રીત હોય છે. જેમકે કેટલીક વસ્તુઓને કાચી ખાવાથી જ તેના ફાયદા થાય. કેટલીક વસ્તુઓને છાલ સાથે ખાવી જોઈએ. તેવી જ રીતે કેટલાક ફૂડ એવા છે જેને ખાતા પહેલા બાફવા જરૂરી છે. આ વસ્તુઓને બાફવાથી તે વધારે ફાયદાકારક બની જાય છે અને તેના પોષક તત્વ પણ વધી જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ડાયાબિટીસના દર્દી માટે રામબાણ છે આ 3 ફૂડ, રોજ ખાવાથી કંટ્રોલમાં રહે છે શુગર


શાકભાજી 


ગાજર, બ્રોકોલી અને પાલક જેવા શાક હંમેશા બાફીને ખાવા જોઈએ. આ વસ્તુઓને ખાતા પહેલા બાફવા જરૂરી છે જેથી તેનું પાચન સરળતાથી થાય. સાથે જ આ વસ્તુઓને બાફવાથી તેના પોષક તત્વો વધી જાય છે. આ શાકમાં ગાજર, બ્રોકલી અને પાલક સૌથી મહત્વની છે. આ વસ્તુઓને બાફીને જ ખાવી જોઈએ. 


આ પણ વાંચો: Jaggery: ગોળનો ઉકાળો પીવાથી દવા વિના મટશે આ 5 બીમારી, આ રીતે બનાવી રોજ પી લેવો


દાળ 


મસૂર, મગ સહિતની દાળને પણ બાફીને જ ઉપયોગમાં લેવી જોઈએ. આ દાળ બાફવાથી તેની ડાયજેસ્ટીવ ક્ષમતા વધી જાય છે. દાળને બાફવાથી તેમાં રહેલું પ્રોટીન અને ફાઇબર શરીર સારી રીતે પચાવી શકે છે. બાફીને ઉપયોગમાં લીધેલી દાળ વજન કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. 


આ પણ વાંચો: Health Tips: રસોડામાં રાખેલી વસ્તુથી મટી જાય છે શરદી-ઉધરસ, દવા લેવાની જરૂર નહીં પડે


ચોખા 


ચોખાને બાફીને જ ખાવા જોઈએ. બાફેલા ચોખા સ્ટાર્ચનું એબ્જોર્શન વધારે છે. તેનાથી શરીર જરૂરી એનર્જી મેળવે છે. બાફવાથી ચોખાનું પાચન પણ સારી રીતે થાય છે. 


આ પણ વાંચો: સવારથી રાત સુધીમાં આ 3 વસ્તુ ખાઈ લેવી, શુગર, કોલેસ્ટ્રોલ દવા વિના રહેશે કંટ્રોલમાં


ઈંડા 


ઈંડાને પણ બાફીને ખાવાથી સૌથી વધુ ફાયદો થાય છે. ઈંડાને બાફવાથી તે કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. બાફેલા ઈંડા હેલ્ધી નાસ્તાનો સારો વિકલ્પ છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)