Health Tips: ડાયાબિટીસ એક એવી બીમારી છે જેમાં સુગર મેટાબોલિઝ્મ ખરાબ થઈ જાય છે અને શરીર સુગર પચાવવાની જગ્યાએ તેને લોહીમાં ભેળવી દે છે. તેનાથી સુગર લોહી દ્વારા તમામ અંગો સુધી પહોંચી જાય છે અને પછી ઘણા લક્ષણો પેદા કરે છે. એટલું જ નહીં તેનાથી હ્રદય, લિવર અને કિડનીનું કામકાજ પ્રભાવિત થાય છે અને ડાયાબિટીસમાં સુગર કંટ્રોલ કરવી જરૂરી છે. તેવામાં ડાયાબિટીસના દર્દીઓ સુગર કંટ્રોલ કરવા માટે કેટલાક ઘરેલું નુસ્ખા પણ અપનાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડાયાબિટીસના દર્દીઓ આ બે વસ્તુનું કરે સેવન
ડાયાબિટીસના દર્દીઓએ સૂરજમુખી અને અળસીના બીજનું સેવન કરવું જોઈએ. આ બીજમાં બાયોએક્ટિવ ઘટક જેમ કે સૂરજમુખીના બીજમાં ક્લોરોજેનિક એસિડ અને સેકોઇસોલારિસિનોલ ડિગ્લુકોસોઇડ ઇંસુલન પ્રતિરોધ કે ઇંસુલિન ઉત્પાદનના ઉપચારમાં સામેલ છે. 


આ બંને વધુ સારી રીતે ગ્લાયકેમિક નિયંત્રણમાં મદદ કરે છે. આ સિવાય સૂર્યમુખીના બીજ અને અળસીના બીજનું સેવન કરવાથી પેટમાં ફાઈબરનું પ્રમાણ વધે છે અને પાચન પ્રક્રિયા ઝડપી બને છે. તે ઇન્સ્યુલિન કોષોને પ્રોત્સાહન આપે છે અને સુગરના ચયાપચયને વેગ આપે છે. આના કારણે શરીરમાં સુગર ઝડપથી પચી જાય છે અને ડાયાબિટીસના રોગોથી રક્ષણ મળે છે. આ સિવાય આ બંનેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને ઇન્સ્યુલિનની યોગ્ય કામગીરી જાળવવામાં મદદ કરે છે.


આ પણ વાંચોઃ કોરોના થયા બાદ શ્વસન સંબંધી સમસ્યાઓનું હોવું નોર્મલ; નવી રિસર્ચમાં થયો ખૂલાસો


કઈ રીતે કરશો સેવન?
સૂર્યમુખી અને અળસીના બીજને રાત્રે પલાળીને ખાવા જોઈએ. રાત્રે સૂતા પહેલા સૂર્યમુખી અને અળસીના બીજ પલાળી દો. જ્યારે તમે સવારે ઉઠો ત્યારે તેને ચાવીને આ પાણી પીવો. આ સિવાય તમે આ બીજને પાણીમાં પીસીને જ્યુસ બનાવીને પી શકો છો. તમારે આ કામ સવારે ખાલી પેટ કરવું જોઈએ અને અઠવાડિયામાં 3 દિવસ અથવા 2 અઠવાડિયા સુધી સતત કરવું જોઈએ. આમ કરવાથી શુગર કંટ્રોલ કરવામાં અને પછી ઇન્સ્યુલિન કોષોને ઝડપી બનાવવામાં મદદ મળી શકે છે. તેથી, જો તમને ડાયાબિટીસ હોય તો આ બે બીજનું સેવન ચોક્કસ કરો.