Health Tips: આયુર્વેદ અનુસાર શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા કફ અને વાત દોષમાં અસંતુલન થવાના કારણે થાય છે. આ દોષના કારણે શરીરમાં ઝેરી તત્વો એકઠા થાય છે. કફ દોષના કારણે લોહીમાં ચરબી વધે છે અને વાત દોષને કારણે રક્ત પરિભ્રમણ ખોરવાય છે. આ દોષોને સંતુલિત કરીને બેડ કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે. કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે આયુર્વેદમાં ઘણી જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. આ જડીબુટ્ટીઓમાં અર્જુનની છાલ, ગુગ્ગુલ, અળસી, આમળા અને લીલી ચાનો સમાવેશ થાય છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અર્જુનની છાલ
અર્જુનની છાલ હાર્ટ માટે સૌથી ફાયદાકારક ઔષધિ માનવામાં આવે છે. તે લોહીને શુદ્ધ કરવામાં અને રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે. અર્જુનની છાલનો પાવડર દૂધમાં ભેળવીને અથવા અર્જુનની છાલ વટીનું સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે.


આ પણ વાંચો: નાની ઉંમરમાં આ કારણે વધી રહ્યા છે હાર્ટ એટેક, યુવાનોની આ આદતો હાર્ટને કરે છે અસર


ગુગળ
ગુગળ એક અસરકારક આયુર્વેદિક વનસ્પતિ પણ છે  જે બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. તે ટ્રાઇગ્લિસેરાઇડનું સ્તર ઘટાડવામાં પણ મદદ કરે છે. તેનું દરરોજ સેવન કરી શકાય છે.


અળસી
અળસીમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે જે બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. અળસીનું સેવન કરવાથી ધમનીઓમાં લોહીનો પ્રવાહ સુધરે છે. અળસીના પાવડરને હૂંફાળા પાણી અથવા દૂધમાં ઉમેરીને ખાઈ શકાય છે. અળસીને તમે મુખવાસની જેમ ચાવીને ખાઈ શકાય છે.


આ પણ વાંચો: Curd: શિયાળામાં આ 4 વસ્તુઓ ઉમેરીને ખાશો દહીં તો વાયડું નહીં પડે, શરીરને કરશે ફાયદો


આમળા
આમળા વિટામિન સીનો સ્ત્રોત છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આમળાનું નિયમિત સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઓછું થાય છે. આમળાને પણ અલગ અલગ રીતે ખાઈ શકાય છે. 


લીલી ચા
ગ્રીન ટીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને રક્તને શુદ્ધ કરવામાં મદદ કરે છે. ગ્રીન ટીનું નિયમિત સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડી શકાય છે.


આ પણ વાંચો: શિયાળામાં આ સમયે ખાધેલું એક આમળું કરશે અનેક ફાયદા, આ 5 બીમારીની દવા પણ નહીં કરવી પડે


જીવનશૈલીમાં સુધારો પણ જરૂરી


- રોજ ઓછામાં ઓછી 30 મિનિટ હળવી કસરત કરો. તેનાથી શરીરમાં રક્ત પરિભ્રમણ પણ સુધરે છે.
- ફેટયુક્ત વસ્તુઓનું સેવન બંધ કરો.  
- ઓમેગા-3 યુક્ત આહાર, ડ્રાયફ્રુટ, ફળ, લીલા શાકભાજી વધારે પ્રમાણમાં લેવા. 


આ પણ વાંચો: રાત્રે આ વસ્તુઓ ખાવાથી 100 ની સ્પીડે વધે છે યુરિક એસિડ, ખાતા હોય તો ચેતી જાજો


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)