ચા ન પીવી જોઈએ તેવી તો ઘણી વાતો સાંભળી, હવે જાણો ચાના અધધધ ફાયદા
ગુજરાતીઓ માટે 365 દિવસ ચા પીવી એ ઉજવણી સમાન છે. મિત્રો સાથે ગપાટાં મારવા માટે ચા થી સારું કોઈ બહાનું હોતું નથી. એ જ કારણ છેકે, અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં દુનિયાભરમાં સૌથી વધારે ચા પીવાય છે.
ઝી બ્ચૂરો, અમદાવાદઃ ચા રસિયાઓ માટે ચા પીવી એ અમૃત પીવા સમાન છે. તે લોકો ઘરે કે કિટલી પર ચા પીવા માટે હંમેશાં તૈયાર રહે છે. વિશ્વભરમાં ભલે ચા દિવસની ઉજવણી માટે અલગ અલગ તારીખો નક્કી કરેલી હોય પરંતું ભારતીયો માટે 365 દિવસ ચા પીવી એ ઉજવણી સમાન છે.
ચા અને કોફીના ચાહકો વચ્ચે કાયમ રહે છે શાબ્દિક જંગ
એક તરફ ચા પીનારા આશિકોનો વર્ગ તો બીજી તરફ કોફી પ્રેમીઓ... સૌથી સારું પીણું કઈ તે બાબતે આજથી નહી પણ વર્ષોથી બને વર્ગ વચ્ચે રકઝક થતી રહી છે. હજુ સુધી ચા શ્રેષ્ઠ કે કોફી તે સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. કોફી પીનારા લોકો ચાના ગેરફાયદા ગણાવતા રહે છે તો ચાના ચાહકો કોફીથી થતું નુકસાન ગણાવે છે. પરંતુ અમે આપને જણાવી રહ્યા છીએ ચા પીવાના ફાયદા. આ ફાયદા ચાના ચાહકો જાણશે તો તેમની છાતી ગર્વથી ફૂલી જશે અને જે લોકો ચા નથી પીતા તે કોફી પીતા પીતા ચાના ફાયદા વાંચીને દંગ રહી જશે.
કોરોનાથી અપરિણીત લોકોને જોખમ વધુ, થઈ શકે છે મૃત્યુ, જાણો કેમ?
5) ચા પીવો અને તણાવમુક્ત રહો:
આદુવાળી ચા પીવાથી મગજ શાંત રહે છે. આદુવાળી ચામાં સ્ટ્રોંગ એરોમા અને હીલિંગ પ્રોપર્ટી હોવાથી તણાવમાંથી મુક્તિ મળે છે. એટલે જ જ્યારે તમને આળસ આવતી હોય કે ઊંઘ આવતી હોય અને તમે ચા પીવો તો તરોતાજા થઈ જાઓ છો.
6) આયુર્વેદિક રીતે પણ ચાના ઘણા ફાયદા:
આયુર્વેદમાં કહેવાયું છે કે આદુવાળી ચા પીવાથી શરીરમાંથી વાત, પિત્ત અને કફ જેવા દોષો દૂર થઈ જાય છે અને તેના કારણે પેદા થતા અનેક રોગો સામે રક્ષણ મળે છે. જેથી આદુવાળી ચા પીવી એ શ્રેષ્ઠ વિકલ્પ ગણાય છે.
WEEKEND પિકનિક માટે અમદાવાદ નજીકના આનાથી બેસ્ટ ઓપ્શન નહીં મળે
7) શરદી ખાંસીમાં મળે છે રાહત:
ચા એ શરદી-ખાંસીના દર્દીઓ માટે અમૃત સમાન છે. જે લોકોને શરદી અને ખાંસીનો કોઠો રહેતો હોય તેમના માટે આદુવાળી ચા મોટી રાહતનું કામ કરે છે. આદુવાળી ચા તમારી શરદી-ખાંસીની સમસ્યા દૂર કરે છે. ચા પીવાથી શરીરમાં તમને ગરમી મળે છે અને શરદી ખાંસીમાંથી રાહત મળે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube