High Blood Pressure: આજકાલની ફાસ્ટ લાઈફસ્ટાઈલમાં લોકોએ અનેક પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. આ બધી પરેશાની ખાવા-પીવાની બદલતી આદત, ડેલી રૂટિન, કસરત ન કરવાને કારણે થતી હોય છે. આ બધી ખરાબ આદતોને કારણે માણસને ન થઈ હોય તેવી બીમારી થઈ જાય છે જેવી કે હાઈ બ્લડ પ્રેશર, કેન્સર, ડાયાબિટીઝ વગેરે. માણસે સ્વસ્થ્ય રહેવું હોય તો તેને પોતાઈની લાઈફસ્ટાઈલ હેલ્થી બનાવવી પડશે. તેમજ ધુમ્રપાન જેવી ખરાબ આદતો છોડવી પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફળોને ખાવાથી વ્યક્તિનું બ્લડ કંટ્રોલ નિયંત્રિત રહેશે
હાઈ બ્લડ પ્રેશર એક એવો રોગ છે જે જીવનભર રહે છે, આવી સ્થિતિમાં ઘણા લોકોને તેનાથી બચવાની જરૂર છે, સાથે જ જો તેને કાબૂમાં ન રાખવામાં આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. હાઈ બ્લડ પ્રેશરને કારણે મગજની બીમારીઓ જેવી કે હેમરેજ, લકવો થઈ શકે છે, તેથી સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીશું કે કેટલાક ફળોનું સેવન કરીને તમે બ્લડ પ્રેશરને કેવી રીતે નિયંત્રિત કરી શકો છો.


આ પણ વાંચો: Viral Video: મિત્રનો જીવ બચાવીને બની ગયો હીરો,2 સેકન્ડ મોડો હોત તો જીવ જતો રહ્યો હોત
આ પણ વાંચો: 1 એપ્રિલથી પોસ્ટ ઓફિસ સ્કીમ હેઠળ થશે ત્રણ મોટા ફેરફાર, જાણી લો આ ફાયદા
આ પણ વાંચો: મરઘી પક્ષી છે કે જાનવર? ગુજરાતમાં નવી ચર્ચા વચ્ચે ચિકન શોપ બંધ, જાણો શું છે મામલો


1) કીવી
કીવી એક ખુબ જ પૌષ્ટિક ફળ છે. તેમાં ઘણા પૌષ્ટિક તત્વો હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આપને જણાવી દઈએ કે કીવી એન્ટી-ઓક્સિડેન્ટ અને મિનરલ્સથી ભરપૂર હોય છે, જેના કારણે પાચનતંત્ર મજબૂત રહે છે. આ સિવાય તે ઈમ્યુનિટી વધારવાનું પણ કામ કરે છે, જે શરીરને કોઈપણ બીમારી સામે લડવાની શક્તિ આપે છે.


આ પણ વાંચો: Swift, Wagon R, Alto... બધાને ભૂલી જશો! 6.56 લાખની આ કારે બજારમાં મચાવી ધમાલ
આ પણ વાંચો: મર્ડરના કિસિંગ સીન પર ઈમરાન હાશ્મી અને મલ્લિકા શેરાવત વચ્ચે થયો હતો ઝઘડો, જાણો કારણ
આ પણ વાંચો: આ તારીખે જન્મેલા લોકો તેજસ્વી મનના માલિક હોય છે, દરેક ક્ષેત્રમાં મેળવે છે સફળતા


2) કેળા
કેળા એ 12 મહિના મળતું ફળ છે જે ખૂબ જ પૌષ્ટિક છે. કેળા પાચનક્રિયાને મજબૂત બનાવે છે. કેળામાં જોવા મળતા પોષક તત્વો બ્લડ પ્રેશરમાં રામબાણ તરીકે કામ કરે છે. દરરોજ તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમં રહે છે અને સ્ટ્રોકથી પણ બચવામાં મદદ કરે છે.


3) કેરી
ઉનાળાની ઋતુમાં મળતું આ ફળ માત્ર તેના સ્વાદ માટે મધુર સ્વાદ માટે જાણીતું નથી, પરંતુ તે અનેક રોગોને દૂર રાખવાનું પણ કામ કરે છે. નોંધપાત્ર વાત એ છે કે બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડિત દર્દી માટે કેરીનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે, તેમાં જોવા મળતું બીટા કેરોટીન અને ફાઈબર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, આ બે તત્વો બીપી કંટ્રોલ રાખવાનું કામ કરે છે. જે સ્વાસ્થ્ય માટે સારું છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. કૃપા કરીને તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો: ઘરે રેફ્રિજરેટર કયા નંબર પર ચલાવવું જોઈએ? આ તાપમાન ભારતીયો માટે છે સૌથી યોગ્ય
આ પણ વાંચો: શરૂ થઇ ગઇ ગરમી!!! આ વસ્તુઓ ખાવાનું ટાળો, નહીંતર પેટની લાગી જશે વાટ
આ પણ વાંચો: કમાલના છે આ 4 બેંક શેર! 1 વર્ષમાં 43% સુધીનું આપી શકે છે વળતર, એક્સપર્ટની સલાહ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube