Health News: ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને દરેક જણ હીટવેવથી પરેશાન છે. એવામાં તમે ડિહાઈડ્રેશન અને બ્રેઈન સ્ટ્રોક જેવી અનેક સમસ્યાઓનો શિકાર બની શકો છો. આવી સ્થિતિમાં, સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રુજુતા દિવેકરે એક પોસ્ટ શેર કરી છે જેમાં લોકોને તેમની જીવનશૈલીમાં કેટલીક ખાસ ટિપ્સ સામેલ કરવા કહ્યું છે. તેણે તેનો આ વીડિયો તેના ઈન્સ્ટા અને ફેસબુક પર પણ શેર કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘરોમાં માતા લક્ષ્મીનો રહેતો નથી વાસ, અન્નની રહે છે અછત, દુખી રહે છે પરિવાર
તમારી પાસે પણ ક્રેડિટ કાર્ડ છે, તો તમે આ 5 ભૂલો તો કરતા જ હશો, બેંકો છુપાવે છે આ વાત
આ છે બેસ્ટ સસ્પેંસ, હોરર-થ્રિલર વેબ સીરીઝ અને ફિલ્મો, અહીં જુઓ ફ્રીમાં



ગરમી ઘટાડવાના ઉપાય- Tips to beat the heat wave in Gujarati


1. વરિયાળીનું શરબત પીવો
રૂજુતા દિવેકરનું માનીએ તો વરિયાળીનું શરબત પીવું તમારા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. જોકે આ પાણી પીવાથી પેટ સાફ થાય છે અને પાચન તંત્રને લગતી સમસ્યાઓ થતી નથી. આ સિવાય તે પેટની ગરમીને ઠંડક આપે છે, જે તમને પગમાં બળતરા અને ખીલ વગેરેની સમસ્યાથી બચાવે છે.


'25 વર્ષની છોકરીઓને લગ્ન ન થવાનો સતાવે છે ડર', આ ઉંમરે ગણાવા લાગે છે ઘરડી
Vish Yoga: શનિ-ચંદ્ર યુતિથી બનશે અશુભ વિષ યોગ, આ 2 રાશિઓ પર તૂટશે મુસિબતનો પહાડ!
વરરાજા મંડપ છોડીને ભાગ્યો તો કન્યા 20 કિમી સુધી પીછો કરી દાદાગીરીથી કર્યા લગ્ન


2. ખસખસનું પાણી પીવો
ખસખસનું પાણી પીવાથી પેટ ઠંડુ થાય છે. આ પાણી પીવાથી ખીલની સમસ્યા નથી થતી અને ત્વચા સંબંધિત અનેક બીમારીઓથી બચે છે. આ સિવાય આ પાણી પીવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને હીટ સ્ટ્રોકથી બચવામાં પણ મદદરૂપ થાય છે.


3. અડધી ડોલ પાણીમાં ચંદન નાખીને સ્નાન કરો
અડધી ડોલ પાણીમાં ચંદન પાવડર મિક્સ કરો અને આ પાણીથી સ્નાન કરો. આ પાણીથી નહાવાથી ઉનાળામાં બ્રેકઆઉટ, પિમ્પલ્સ અને ખીલને ઓછો કરવામાં મદદ મળે છે. આ સાથે પરસેવામાંથી આવતી દુર્ગંધ પણ ઓછી થાય છે અને તમે તાજગી અનુભવો છો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય જાણકારીઓ પર આધારિત છે તેને અપનાવતા પહેલાં ડોક્ટર્સની સલાહ જરૂર લો. તેની ZEE 24 KALAK પુષ્ટી કરતું નથી.)


Love rashifal: પ્રેમી પંખીડાઓ માટે ખાસ લવ રાશિફળ, ક્યાંક ઝઘડા થશે તો ક્યાંક બ્રેકઅપ
શનિવારે સાંજે સૂર્યાસ્ત બાદ કર્યું તો બની જશો ધનવાન, જીવનમાં થશે પૈસાનો વરસાદ
30 મેથી આ રાશિઓના શરૂ થશે અચ્છે દિન, ચમકી જશે ભાગ્ય, માં લક્ષ્મીની થશે કૃપા
Vastu Tips: ખબર છે ક્યારે ખરીદવી જોઇએ વેલણ-પાટલી? ક્યારેય નહી ખૂટે અન્ન અને ધન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube