નવી દિલ્હી: નાણા મંત્રી નિર્મલા સીતારમને કાર્યભાર સંભાળ્યા બાદ ગણતરીના દિવસોમાં જ મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો છે. સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ મુજબ નાણા મંત્રાલયના સૂત્રોએ જાણકારી આપી છે કે આવકવેરા વિભાગના ચીફ કમિશનર, પ્રિન્સિપલ કમિશનર્સ, અને કમિશનર રેન્કના 12 વરિષ્ઠ અધિકારીઓને નાણા મંત્રાલયે રૂલ 56 હેઠળ જબરદસ્તીથી રિટાયર કરી દીધા છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...