બારાબંકી: લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019)માં ચૂંટણી આચાર સંહિતા ઉલ્લઘંનની કાર્યવાહી રેલવેના બે કર્મચારીઓ સુધી પહોંચી અને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ મામલો યૂપીના બારાબંકી રેલવે સ્ટેશનનો છે. અહીં રેલવે ટિટિક પર પીએમ મોદીની તસવીરવાળી ટિકિટ યાત્રીઓને આપવા પર 2 કર્મચારીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવતા તપાસ કરવામાં આવી રહી છે. બારાબંકીના એડીએમે સમાચાર એજન્સી એએનઆને જણાવ્યું કે, 13 એપ્રિલના શિફ્ટ ચેન્જ થયા બાદ ટિકિટ કાઉન્ટર પર પ્રિટિંગ માટે જૂના રોલનો ભૂલથી ઉપયોગ કરવામાં આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓરિસ્સામાં PM મોદીનું સંબોધન: ભેદભાવ કોંગ્રેસની નીતિ, ખેડૂતોને પાણી માટે વલખા


જણાવી દઇએ કે, થોડા દિવસ પહેલા શતાબ્દી ટ્રેનમાં ભાજપના ચૂંટણી નારમાં ‘મેં ભી ચોકીદાર’ લખેલા કપમાં ચા આપવાના મામલો સામે આવ્યો હતો. સમાચારો અનુસાર 29 માર્ચે ટ્રેનમાં જે પેપર કપમાં ચા આપવામાં આવી હતી તેમના પર ‘મેં ભી ચોકીદાર’ લખેલું હતું. કપ પર લીલા અને લાલ રંગમાં ‘મેં ભી ચોકીદાર’ મોટા મોટા અક્ષરોમાં લખેલું હતું. તેની નીચે નાના શબ્દોમાં આતંકવાદથી દેશની રક્ષા કરવાનો સંદેશ લખ્યો હતો. આ ઘટના કાઠગોદામ શતાબ્દી એક્સપ્રેસમાં યાત્રા કરી રહેલા યાત્રીઓ સાથે હતો. ટ્રેમાં યાત્રા કરનાર યાત્રિઓને આ કપની સાથે ટ્વિટ કરી દીધું, ત્યારબાદ આ સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું.


લોકસભા ચૂંટણીના સમાચાર વાંચવા ક્લિક કરો...


આ ગામના લોકો માટે માથાનો દુખાવો બન્યું રાફેલ, બોલ્યા- ઘણા બદનામ થઇ રહ્યાં છીએ


કપ પર આ જાહેરાત એનજીઓ ‘સંકલ્પ ફાઉન્ડેશન’ તરફથી કરવામાં આવી હતી. આઇઆરસીટીસીની પરવાનગી વિના મુસાફરોને આ કપ આપવામાં આવ્યા હતા. મામલો સામે આવ્યા બાદ રેલવે તરફથી આ કપને તાત્કાલીક હટાવી દેવામાં આવ્યા હતા. આ મામલે ચૂંટણી પંચે રેલવેને નોટિસ પણ મોકલી હતી.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...