અરુણ હર્ષ, જેસલમેર: ઈરાનમાં કોરોનાના સંક્રમણને જોતા ભારતીય મૂળના 236 લોકોને એર ઈન્ડિયાની ફ્લાઈટથી આજે જેસલમેર લાવવામાં આવ્યાં. એર ઈન્ડિયાની 2 ફ્લાઈટ્સમાં તમામને ઈરાનથી ભારતમાં કડક નિગરાણીમાં લાવવામાં આવ્યાં. આ બાજુ કોરોનાથી પ્રભાવિત ઈટાલીમાંથી 218 ભારતીયોને આજે સવારે વિશેષ વિમાનથી દિલ્હી એરપોર્ટ લાવવામાં આવ્યાં. આ તમામને ભારત-તિબ્બત સીમા પોલીસના છાવલા શિબિર ખાતે લઈ જવામાં આવી રહ્યાં છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...