નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ સંક્રમણથી હાલત બેકાબૂ છે. ડોક્ટર અને સ્વાસ્થ્યકર્મી સતત લોકોના જીવ બચાવવાની કોશિશમાં છે. આમ છતાં રાજધાની દિલ્હીમાંથી ખુબ જ ભયાનક ખબર સામે આવી છે. સર ગંગારામ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 25 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. ઓક્સિજનની કમીના કારણે 60 દર્દીઓના જીવ જોખમમાં હતાં. પરંતુ છેલ્લે મળેલી માહિતી મુજબ તાબડતોબ એક ઓક્સિજન ટેન્કર હોસ્પિટલમાં પહોંચાડી દેવાયું છે. જેના કારણે હાલ દર્દીઓના જીવ પર તોળાઈ રહેલું જોખમ ટળ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

60 દર્દીઓના જીવ હતા જોખમમાં
હોસ્પિટલ તરફથી મોકલવામાં આવેલા ઈમરજન્સી સંદેશમાં ઓક્સિજનની તાત્કાલિક જરૂરિયાત જણાવવામાં આવી હતી. કહેવાયું હતું કે હોસ્પિટલમાં થોડા કલાકો માટે જ ઓક્સિજન બચ્યો છે. આવામાં તાકીદે ઓક્સિજનની વ્યવસ્થા કરવાની માગણી કરાઈ હતી. સરકારને ગુહાર લગાવ્યા બાદ સમયસર હોસ્પિટલમાં ઓક્સિજનની આપૂર્તિ કરાવવામાં આવતા મુસીબત હાલ ટળી છે. 


Coronavirus: ભારતમાં કોરોનાની ભયાનક પરિસ્થિતિ પર ચીને આપ્યું આ રિએક્શન


Video: આ ટચુકડું ગામ હંફાવી રહ્યું છે જીવલેણ કોરોનાને, દેશમાં હાહાકાર પણ ગામમાં એક પણ કેસ નથી નોંધાયો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube